________________
તીર્થંકર ચરિત્રભ૰મહાવીર—કથા
પ્રવર્ત્ય નહીં. બીજા મતે કેવળ આચારને માટે ભગવંતે ક્ષણમાત્ર દેશના આપી. જો કે ભગવંતની પ્રથમ દેશના અથવા પ્રથમ સમવસરણ નિષ્ફળ ગયું. તેને દશ આશ્ચર્યમાંની એક આશ્ચર્યકારી ઘટનારૂપે જણાવેલ છે.
ભગવંતનું બીજું સમવસરણ અને તીર્થ સ્થાપના :
(આગમ સંદર્ભ
= આવનિ ૫૩૯ થી ૫૯૭;
આવ.ચૂ ૧-પૃ. ૩૨૧ થી ૩૩૨;
આવ.ભા. ૧૧૫ થી ૧૧૯; કલ્પસૂત્ર–૧૨૧ વૃત્તિ;)
ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્થાનથી બાર યોજન દૂર મધ્યમા નામની નગરી હતી. ત્યાં સોમિલાર્ય (સોમિલ) નામે બ્રાહ્મણ હતો. તેણે એક યજ્ઞનો આરંભ કરેલો. ત્યાં અગિયાર ઉપાધ્યાય (અધ્યાપક) પોતાના શિષ્ય પરિવાર સાથે આવેલ હતા. તે અગિયારે ચરમશરીરી હતા. તેથી આ વાત જાણીને ભગવંત જ્ઞાનોત્પત્તિ સ્થાને એક મુહૂર્ત માત્ર રહ્યા. યાવતુ દેવોએ પોતાનો શાશ્વત આચાર જાણી પૂજા (મહિમા) કર્યો. એવો શાશ્વત નિયમ છે કે, ભગવંત કેવળજ્ઞાનોત્પત્તિ સ્થાને મુહૂર્ત પ્રમાણ કાળ રોકાય. ત્યાર પછી ભગવંત અસંખ્ય દેવગણથી પરિવૃત્ત થઈને, દેવોના ઉદ્યોતથી પ્રકાશિત પથ પર રાત્રિના પણ જાણે દિવસ હોય તેમ, દેવોએ વિકુર્વેલા કમળો પર પગ મૂકીને ચાલતા, (દેવોએ હજાર પાંખડીવાળા અને માખણ જેવા કોમળ સ્પર્શવાળા સાત કમળ વિકુર્વેલા તેના પર ચાલતા જેમાં ત્રણ કમળ આગળ અને ત્રણ કમળ પાછળ હોય છે અને એક ઉપર ભગવંતનો પગ હોય તે રીતે, તો કોઈ કહે છે કે, સાત કમળો દેખાય છે. જ્યારે પગ ઉપાડે ત્યારે બીજા કમળ દેખાય છે. એટલે કે, સાત કમળ માર્ગમાં હોય છે અને બે કમળ ઉપર પગ મૂકેલ હોય છે એ રીતે નવ કમળ હોય છે – જુઓ આવશ્યક ચૂર્ણિ ૧પૃ. ૩૨૪) એ પ્રમાણે વિહાર કરીને રાત્રિના મધ્યમા નગરીના મહસેનવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવંત ધર્મવરચક્રવર્તી થયા હોવાથી દેવેન્દ્ર અને નરેન્દ્રની પૂજાને પ્રાપ્ત થયા. ત્યાં ભગવંત માટે બીજા સમવસરણની રચના થઈ. જ્ઞાનોત્પતિ સ્થાને કરાયેલ પૂજાની અપેક્ષાએ આ બીજું હોવાથી પાપાનગરીની મધ્યમા નગરીમાં બીજું સમવસરણ રચાયું તેમ કહેવાય છે. તે વખતે મધ્યમાપાપાનગરીમાં સોમિલાર્ય બ્રાહ્મણે યોજેલ યજ્ઞમાં વિશિષ્ટ નગરવાસી લોકસમુદાય, સામાન્ય લોકો આદિ યજ્ઞમંડપમાં ભેગા થયા હતા. તે યજ્ઞમંડપની નજીક દેવેન્દ્ર અને દાનવેન્દ્રોએ જિનેન્દ્ર મહાવીરનો મહિમા કર્યો. (ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સર્વઋદ્ધિ સહ, પર્ષદા સહિત ત્યાં પધાર્યા. સૂર્યોદય વેળાએ ભગવંતનો જ્ઞાનોત્પત્તિ મહિમા કરી સમવસરણની રચના કરી, આવ.ભા. ૧૧૫) (ઉપરોક્ત કથનને બે મુખ્ય વિભાગમાં વિવેચિત કરાયેલ છે -
(૧) ભવનપતિ આદિ ચારે નિકાયના દેવોનું આગમન (૨) સમવસરણાદિ વક્તવ્યતા)
૦ દેવોનું આગમન :
(આગમ સંદર્ભ :– ઉવવાઈ સૂત્ર ૨૨ થી ૨૬;
*
આવ.યૂ. ૧–પૃ. ૨પર થી ૨૫૫;)
(આ વર્ણન પૂર્વે ભગવંતના દીક્ષા મહોત્સવમાં નિષ્ક્રમણ અભિષેક વખતે આવશ્યક ચૂર્ણિ આધારે સંક્ષેપિત રૂપે રજૂ કરાયેલ, અહીં ઉવવાઈ સૂત્રનો મુખ્ય સંદર્ભ લઈ પૂરેપૂરું વર્ણન રજૂ કરેલ છે.)
Jain Education International
૩૪૩
For Private & Personal Use Only
www.jainelibrary.org