SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ માનુસારીના પાંત્રીસ ગુણો. (૩૩) ગેરલાભ થવા સંભવ છે. પરંતુ તે ગુણ પુણ્યના ઉદય સિવાય મળતે નથી. અને પુણ્યશાલી ધર્મને મેળવી શકે છે, એ દેખીતું જ છે. હવે સત્યાવીશમે ગુણ–વિશેષજ્ઞ વિશેષ જાણનાર એટલે વસ્તુ, અવસ્તુ; કૃત્ય, અકૃત્ય તેમજ આત્મા અને પર તેમાં શું આંતરું છે, તેને જાણનાર હોય તે વિશેષજ્ઞ ગણાય છે. જ્યાં સુધી - ત્યાકૃત્યનું, વસ્તુ અવસ્તુનું અને આત્મા તથા પરનું જ્ઞાન નથી, ત્યાં સુધી પશુ તુલ્ય છે; અથવા તે આત્માના ગુણ દોષને વિશેષ વડે જાણે તેને વિશેષજ્ઞ જાણ. જે મનુષ્યની અંદર પિતાની વર્તણુક ઉપર દૃષ્ટિ દેવાની શક્તિ નથી, તે પશુ સમાન જ છે. તેને આગળ વધવાની આશા આકાશ કુસુમ જેવી છે. માટે વિશેષજ્ઞ ગૃહાથધર્મને યોગ્ય ગણેલ છે. હવે અઠ્ઠાવીશમે ગુણતજ્ઞ એટલે કરેલ ગુણ તથા ઉપકારને જાણનારાય,તે ધર્મને એગ્ય છે.કૃતજ્ઞને કઈ ઠેકાણેનિસ્તારનથી. ઓગણત્રીશમે ગુણવઠ્ઠમ એટલે પ્રામાણિક લોકને વલ્લભ. લેક શબ્દ વડે કરીને અહીં સામાન્ય લેક લે નહિ. કારણ કે સામાન્ય લોકને તે કઈ વલ્લભ થઈ શકતું નથી. દુનિયા દેરંગી છે. ધર્મ કરનારને પણ નિન્દ, અને ધર્મ નહિ કરનારને પણ નિજો. કાર્ય કરનારને દેષ કાઢે, નહિ કરનારને આળસુ અથવા હતવીર્ય કહે. સાધુ થનારને પણ નિન્દ, તેમજ ગૃહસ્થને પણ નિન્દા માટે કઈ જ્ઞાની પુરૂષે કહ્યું છે કે “લેક મૂકે પિક, તું તારૂ સંભાળ.” “લેક મૂકે પિક” અહીં લેક શબ્દથી સામાન્ય લેક લે. જ્યારે “ોવાઃ ” એ ઠેકાણે લેક શબ્દથી પ્રમાણિક લેક સમજવો. તે લેકને, વિનય વિવેકાદિ ગુણવડે વલ્લભ થાય. ત્રીશમે ગુણ સર મર્યાદાવત્તી પુરૂષ, લજજાવાન પુરૂષ સ્વીકૃત વ્રતાદિ નિયમને પ્રાણાંતમાં પણ છોડતું નથી. માટે દશવૈકાલિ કાદિ સૂત્રમાં “લજજા” શબ્દ વડે સંજમને સ્વીકાર કર્યો છે. સંજમનું કારણ લજજા છે. માટે કારણમાં કાર્યોપચાર કરવાથી લજજા સંયમ ગણાય છે. લજાવાન પુરૂષ સર્વત્ર સુંદર ફળ પામે છે. નિર્લજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy