SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શુભાશુભ આશ્રવ વિચાર. (૩૫) બેસી આત્મસ્વરૂપનું ચિંતન કરવું, સાંસારિક સંબંધને ઉપાધિભૂત માની વિભાવમાંથી મુક્ત થઈ, આત્મસ્વભાવમાં પ્રવેશ કરી નિ. વિકલ્પ દશાને સ્વાદ લે તે ધ્યાન પદ. ૧૬, ત્રિકરણ મેંગે યથાશકિત ઉપદેશદ્વારા જૈનધર્મની વાસ્તવિક પવિત્રતા, તથા પ્રાચીનતા જનસમૂહમાં જાહેર કરવી, જેથી જૈનધનભિજ્ઞ તથા ભદ્રિક પ્રાણુંએને જૈનધર્મ સંબંધી પેટા વિકલ્પ શાંત થવા સાથે પ્રેમભાવ થાય, તીર્થંકર દેવની ભક્તિ કરવી, તથા જગડુશાહની માફક દયાભાવથી જગદુદ્ધાર કરવા દાન દેવું, ઈયાદિ કાર્યોથી શાસન પ્રભાવના કરવી તે સોળમું પદ શાસન પ્રભાવના ૧૭, સાધુ, સારી, શ્રાવક, શ્રાવિકા રૂપ સંઘની અંદર સમાધિ થાય તેવા ઉપાયે જવા, તે સંઘસમાધિ નામે સત્તરમું પદ જાણવું. ૧૮, સાધુઓની શુદ્ધ આહાર, પાણું, વસ્ત્ર, પાત્ર, ઔષધાદિ વડે ભક્તિ કરવી જેથી સંયમારાધનમાં સમ્યક પ્રકારે તેઓ તત્પર થાય તે સાધુસેવા. ૧૯, અપૂર્વજ્ઞાનનું ગ્રહણ. ર૦, દર્શનશુદ્ધિ. એ પૂર્વોક્ત વિશ પદ અથવા વિશ સ્થાનકની સમ્યક્ આરાધના કરવાથી અત્યુત્તમ તીર્થકર નામકર્મની પ્રાપ્તિ થાય છે, માટે આ ઉપર હેવાએલા સ્થાનકેને તીર્થકર નામકર્મના આશ્રવે જાણવા. પ્રથમ શ્રી ઋષભદેવ સ્વામી તથા અંતિમ શ્રી મહાવીર સ્વામી બનેએ વીશ સ્થાનકની આરાધના કરી તીર્થંકરપદ પ્રાપ્ત કર્યું હતું. હવે સાતમા ગોત્ર કર્મનાં બંધહેતુઓ-આશ્ર કહેવામાં આવે છે. ગોત્ર કર્મના બે ભેદ છે. ઉચ્ચ તથા નીચ. તેમાં નીચ ગેત્રનાં આઅવે આ પ્રમાણે છે. પરની નિન્દા, અવજ્ઞા તથા હસી કરવી, તેના સારા ગુણને લેપ કરવે, છતા અછતા દેનું કહેવું, પિતાની સ્વમુખે પ્રશંસા કરવી, છતા અછતા ગુણેની પ્રખ્યાતિ કરવી, સ્વદોષને ઢાંક, તથા જાતિ આદિકના મદ કરવા. પૂર્વોક્ત દુર્ગણેથી વિપરીત આચરણ, ગર્વ રહિતતા, તથા મન, વચન, કાયાથી વિનય કરે, તે ઉચ્ચ શેત્રના આવે સમજ વા જોઈએ. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy