________________
}} ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિએ મહાર આવતી નથી. માટે જ વિવિક્ત સ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ ચેગીને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે.
પરદ્રવ્યસ્વરૂપ વિચારકર્રાવ્ય
પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગતે વિષે રહે છે, અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેના વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલે તેને વિષય થઈ રહેતાં વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણુ કરવા દોડે છે. ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ક્રી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરમાં લાવવી પડે છે અને તેમ લાગ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલા તેના વિષય થઈ રહેતાં વળી વૃત્તિ અહાર દોડવા માંડે છે, ત્યારે જોણું ાય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વ્રુત્તિને અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરગમાં લાવતાં લાવતાં આત્માના અનુભવ વખતે થઈ જાય છે. જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે અને તે પ્રમાણે પરિણમવાથી ખાદ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org