________________
૬૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
આવા આવા સેંકડા છાંતા સારા નિમિત્તોથી આત્મખળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાગ માંથી પતિત થવાના શાસ્ત્રોમાંથી મળી આવે છે, તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ; માટે સાધક આત્માને-આત્મચિંતન કરનારને નિર્જનસ્થાનની બહુ જરૂર છે એ નિર્વિવાદ વાત છે.
બુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણુ, મન-વચનકાયાના નિરાધ, વિરોધી નિમિત્તોના અભાવ, સારા નિમિત્તોની હયાતિ, રાગદ્વેષાદિના ત્યાગ અને આત્મજાગૃતિ, એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રખળ નિમિત્તકારણેા છે, તેમ આત્મચિ'તન માટે નિજનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્તકારણ છે.
જેમ ચંદ્રને દેખીને સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીના વધારો થાય છે, માહથી કર્મીમાં વધારો થાય છે, અનિયમિત ભાજન કરનારમાં રાગ વધે છે અને ઇન્દ્રિયેાના વિષયામાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખના વધારા થાય છે, તેમ મનુષ્યેાના સંસર્ગથી વિાના, આશ્રવવાળા વચનાના તથા પ્રવૃત્તિના વધારા થાય છે. જેમ લાકડાંથી અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ વધે છે, રાગથી પીડા વધે છે, તેમ મનુષ્યાની સામતથી વિચારે અને ચિંતા વધે છે.
વિષયાના ત્યાગ, નિર્જનસ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત મન, નિરેગી શરીર અને મન-વચન-કાયાના નિરાધ-એ સર્વ મુનિને માક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્તો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org