________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૪૯
મેળવવું જોઈએ અને એ મેળવે તા જ યથા ધમની પ્રાપ્તિ થાય, અન્યથા ઢગાવાનું થાય.
નાના પ્રકારનાં દુઃખાને અનુભવતા પ્રાણીને ત્રણેય લેાકમાં કેાઈ શરણુ નથી. ધમને શરણુ માનીએ તે તે વ્યાજબી છે, પરંતુ એમ માનવા છતાં જો ધર્મની આરાધના કરવામાં ન આવે તેા દુ:ખને નષ્ટ કરવાનું ક્યાંથી બની શકે?
ધમ માનનાર-કરનાર કાઇ આખા સમુદાય મેાક્ષે જશેએવું શાસ્ત્રકારનું કહેવું નથી, પરંતુ જેના આત્મા ધર્માંત્વ ધારણ કરી તત્ત્વા પામશે તે સિદ્ધિપદ પામશે તેમ કહેવું છે.
આત્મશ્રેયકારી લેાકેાત્તર ઉપકારી ધમ સાધનાને લગતાં કાર્યાંની સિદ્ધિ સભ્યશ્રદ્ધા-આત્મશ્રદ્ધા વિના થવી અશક્ય છે. એ જ કારણે મુક્તિમાગ ના વર્ણનમાં જ્ઞાન અને ચારિત્રની પણ પહેલાં દર્શીન યા શ્રદ્ધાની જરુરીયાત ઉપર ભાર મૂકયા છે.
કૃષિ ક્રિયાને વિકસાવવામાં મૂખ્ય હેતુ જેમ પાણી છે, તેમ જ્ઞાન, ચારિત્ર કે ધમ નિમિત્તક અનુષ્ઠાનોને શેલાવનાર, દીપાવનાર કે વિકસાવનાર મૂખ્ય હેતુ આત્મશ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શૈાભાવે છે, ચારિત્રને દીપાવે છે અને ક્રિયાને વિકસાવે છે અથવા તેા તે સની સફળતા માટે આત્મશ્રદ્ધા એ એક અનિવાર્ય વસ્તુ છે,
ધર્માંન્નતિ અને પરિણામે થતી વિશ્વાન્નતિ જો મેળવવી હાય, તેા બીજા પ્રયત્નાને ગૌણ બનાવી આત્મશ્રદ્ધાસભ્યશ્રદ્ધાને સુદૃઢ બનાવવાના પ્રયત્નાને જ અગત્ય આપવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org