SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ' = = પારમાર્થિક લેખસંગ્રહ [૩૩૯ ઓળખ્યા વગર, આત્માનું પરિણતિ જ્ઞાન થયા વગર અને તેને ઓળખવાના સમ્યક સાધને સેવ્યા વિના આત્મામાં આત્માના ગુણ મેળવવા પ્રવૃત્તિ થઈ શકતી નથી. જીવને જ્યાં સુધી વસ્તુસ્વરુપને યથાસ્થિત બંધ થત નથી, ત્યાં સુધી તે અસપરિણતિમાં રહી કાળ નિગમન કરે છે. જીવ પિતાનું સ્વરુપ જ જાણી શક્તા નથી, તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈછે તે તેનાથી શી રીતિએ જાણીસમજી શકાય? અને જ્યાં સુધી તે ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી ગુંચવાઈ 3ળાયા કરે છે. શ્રેયકારી એવું નિજસ્વરૂપનું જ્ઞાન તેણે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે કશાય કામનું નથી; માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતે મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરે. પિતાને શાની જરૂરીયાત છે અને શું મેળવવું છે?એ જ્યાં સુધી નક્કી ન કર્યું હોય, ત્યાં સુધી નિશાન વિનાના ફેકેલા બાણેની માફક તેમને પ્રયાસ સફળ થતું નથી. એટલે પ્રથમ પિતાને મેળવવા યોગ્ય શુદ્ધ આત્માને બેધ કરે જોઈએ અને પછી તેને પ્રગટ કરવામાં સહાયક ક્રિયાઓ કરવી જોઈએ. સમ્યગદષ્ટિ આત્માને શુદ્ધ આત્માને બોધ હોય છે અને ત્યાર પછી જ કિયા ફળદાયક થાય છે. પિતાનું શું છે અને શું નથી એ જે સ્પષ્ટ સમજાઈ જાય, તે પિતાનું જે હોય તે પ્રગટ કરવા અને જાળવવા પ્રયાસ થાય. એમ કરતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય. પિતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy