________________
પારસાશિક લેખસ’ગ્રહ
[ ૩૨૧
પામીને, પ્રાણીને પાતામાં ગુણીપણું મનાવી અને ખીજા ગુણીએમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પેાતાના ઉત્કર્ષ દ્વારા અનત કાળચક્ર સુધી સંસારમાં રઝળાવે છે.
સ્વગચ્છ કે પગચ્છમાં જે સવજ્ઞ એટલે તીવ્ર વૈરાગ્યવાન ભવભીરુ ખડુશ્રુત ગીતાથ મુનિજના હૈાય, તેમના ગુણાનુરાગ કરવા મત્સર કે ગચ્છ મમત્વભાવથી તું ચૂકીશ નહિ.
ગુણાનુરાગીને ‘આ મારા ગુરૂ અને મારા ગચ્છના’એ વિચાર હાય નહિ. વેષ માન્ય છે. જ્યાં સુધી અવગુણ્ણા ન માલુમ પડે ત્યાં સુધી તેમને દૂરથી સામાન્ય રીતે નમન કરવા ચેાગ્ય છે. પૂજા તે ગુણની જ છે અને અંતર-રાગ પણ તે પર જ હાવા જોઇએ અને ગુરૂ થવા ચેાગ્ય સાધુને તા આ મારા શ્રાવક છે” એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હાવી જોઇએ.
ગુણપૂજા છે તે યથા વિવેકમાર્ગ છે, પણ વ્યક્તિપૂજા તે માગ નથી—યથા વિવેક નથી. જ્યાં યથાર્થ ગુણ દેખાય ત્યાં આદર કરવા ચૈાગ્ય છે. અમુક જ વ્યક્તિને માનવી તે પક્ષપાત છે, એવું જૈનદર્શનમાં છે જ નહિ. જૈનદનમાં ગુણુપૂજા છે પણ વ્યક્તિપૂજા છે નહિ.
અમુક જ્ઞાન, ગુણ, પદ્મ કે સ્થિતિને ધારણ કરનારા સાધુઓને વંદન અને નમન કરનારા, પાતે પેલા જ્ઞાનાદિ ગુણ્ણાનું અંશે આરાધન કરવા છતાં, સાધુતાના બીજા ગુણાનું વિરાધન કરનારા થઈ જાય છે.
સવ ગુણ્ણાના આદર, એક ગુણીના અનાદર કે અવજ્ઞા
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org