SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪] શ્રી જી. અ, જૈન ગ્રન્થમાલા જે વાંચનપરિચય, નિદિધ્યાસન હોય, તે તેમાંથી કાંઈ ને કાંઈ સમજવાનું વિચારવાનું, આદરવાનું અને મનન કરવાનું જરૂર મળી આવે છે. જ્યારે મનનની ટેવ પડે છે, ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે. મનન કર્યા વગર વસ્તુસ્થિતિ સમજાતી નથી, આત્મજાગૃતિ સ્કુરાયમાન થતી નથી અને વાચેલે વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યા વગર ઉપર ઉપરથી ચાલ્યા જાય છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂં કહ્યું છે કે પાંચ મીનીટ વાંચે અને તેના ઉપર પંદર મીનીટ વિચાર કરે.” આવી રીતે જ્યારે મનન કરવાની ટેવ પડશે, ત્યારે જ ખરેખર સાર શોધી શકાશે. પિતાની રૂચિવડે પિતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવાયેગ્ય વસ્તુ જાણી ન હોય, ત્યાં સુધી તે વસ્તુ સમજાતી નથી. કઈ પણ ધર્મની મહત્ત્વતા સમજવા માટે તેના દ્રવ્યાનુયોગની મહત્ત્વતા સમજવાની જરૂર પડે છે અને કિંમત પણ તેનાથી જ થાય છે. ભાષા ગમે તે હોય, પરંતુ જેમાં અધ્યાત્મનિરૂપણને વિષય હોય અને અનુભવને રસ ભરેલો હોય, તે તેને સંસ્કૃત કરતાં પણ ગંભીર સમજવી જોઈએ. જેમ ભેજનની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પાત્રોમાં મૂક્વાથી તેના સ્વાદમાં ફરક પડતો નથી, તેમ ભાષાના ભેદે હોવા છતાં તેથી કરીને અર્થમાં કશો ફરક પડતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy