SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૨૬૭ જૈનદર્શનના એક અનન્ય આધારભૂત આપ્તપુરૂષ છે. શ્રી સિદ્ધસેન દિવાકરે પેાતાના સ’મતિતમાં કેવલીને ( સર્વજ્ઞને ) કેવલજ્ઞાન અને કૈવલદર્શન-એ અન્ને યુગપત્ એટલે એકીસાથે થતાં નથી, એ આગમપર પરાના મતથી વિરૂદ્ધ જઈ બન્ને એક જ છે અને જૂદા નથી-એમ તર્કથી સિદ્ધ કર્યું છે; જ્યારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમપરપરાગત તે મતને અભિમત રહી શ્રી સિદ્ધસેનજીના વિચારને વિગતવાર પ્રતિક્ષેપ વિશેષાવશ્યકમાં કર્યો છે. આમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આગમપરપરાના મહાન્ સંરક્ષક હતા, તેથી તે આગમવાદી કે સિદ્ધાંતવાદીના બિરૂદથી જૈન વાહમયમાં એળખાય છે. આ પ્રકારના એ આત-મહાપુરૂષમાં મતભેદ–સૌમ્ય મતભેદ હાવા છતાં કેટલી ગુણગ્રાહિતા ને સમભાવિતા હતી, તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલ જીતકલ્પ સૂત્ર ઉપર, ‘જિતકલ્પ શૂ’િરચનાર શ્રી સિદ્ધસેનસૂરિવરે તેની આદિમાં તેઓશ્રીની જે ગભીરાક સ્તુતિ છ પદ્યમાં કરેલી છે તે આ પ્રમાણે— 66 અનુયાગના–આગમાના-અજ્ઞાનના ધારક, યુગપ્રધાન, પ્રધાન જ્ઞાનીઓને બહુમત, સર્વ શ્રુતિ અને શાસ્ત્રમાં કુશલ અને દન-જ્ઞાન ઉપયાગના માર્ગસ્થ ને માર્ગરક્ષકઃ” ૧ કમલના સુવાસને આધીન થયેલા ભ્રમરે જેમ કમલની ઉપાસના કરે છે, તેમ જ્ઞાનરૂપ મકરંદના પિપાસુ મુનિ જેમનાં સુખરૂપ નિરમાંથી નીકળેલા જ્ઞાનરૂપ અમૃતનું સદા સેવન કરે છેઃ ”૨ 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy