________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૪૩ ક્ષેત્રવિચારણાએ પ્રત્યેક ગળકની તેમજ પ્રત્યેક નિગોદની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને અસંખ્ય આકાશપ્રદેશની એકસરખી હોય છે. બાદર-નિગેદની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને તેમાં પણ દરેક નિગોદમાં અનંતા જીવે છે. દરેક જીવનું તેજસ અને કામણ-એ બે શરીર જૂદા જૂદા છતાં દારિક શરીર જુદું જુદું નથી.
નિગદના જી અનંતકાળ સુધી અતિ દુખિત કેમ હોય છે?—આ સંબંધી વિચાર જણાવવાને કેવળી સિવાય કઈ સમર્થ નથી, તે પણ તેને આશય સમજવા સારુ કિંચિત્ કર્મ પ્રકાર કહેવામાં આવે છે. નિગદના છે
સ્થૂલ આશ્રવ સેવવાને સમર્થ નથી, પરંતુ તે એકેકને વિંધીને એકેક શરીર આશ્રી અનંત રહેલા છે. તે પૃથક પૃથક્ દેહરૂપી ગૃહથી રહિત છે, પરસ્પર દ્વેષને કારણભૂત ઔદારિક શરીરમાં સંસ્થિત છે અને અત્યંત સંકીર્ણ નિવાસ મળવાથી અન્ય અન્ય વિધીને નિકાચિત વૈર બાંધે છે, જે પ્રત્યેકને અનંત છે સાથે ઉગ્રપણે બંધાય છે. હવે જ્યારે એક જીવે એક જીવ સાથે બાંધેલું વૈર અત્યંત ગાઢ હેઈને, એક જીવે અનંત જી સાથે બાંધેલું વૈર અનંતકાળે ભાગવાય તેમાં શું આશ્ચર્ય અને તે ભેગવવાને કાળ અનંત છે. કેદખાનામાં પૂરાયેલા કેદીઓ જેમ પરસ્પર સંમર્દનથી પીડાયા છતાં, આમાંથી કેઈ મરે અથવા જાય તે હું સુખે રહું ને ભક્ષ્ય પ્રમાણમાં કાંઈક વધારે મળે, એવી દુષ્ટ ભાવનાથી એકેક જીવ પ્રતિ અશુભ કર્મ બાંધે છે; તેમ નિગોદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org