SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ - પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૩ સખ્યત્વ પ્રાપ્તિનું મૂળ કારણ સમ્યકત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીયકર્મને ક્ષયે પશમ સાક્ષાત્ પ્રધાન હેતુભૂત થતું નથી. સમ્યકત્વવાળાને જ્ઞાનાવરણયકર્મને ક્ષયપશમ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણને ક્ષપશમ મિથ્યાષ્ટિઓમાં પણ હોય છે. એ માટે “સખ્યત્વપ્રાપ્તિનું મૂળ કારણ દર્શનમોહન નિરાસ છે.” ખાસ પ્રયજનભૂત આત્મા વિગેરે પદાર્થોમાં બ્રાન્તિ ટળી જવી એ દર્શનમોહન નિરાસ ઉપર આધાર રાખે છે અને એનાથી સમ્યકત્વને આવિર્ભાવ થાય છે. આવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિમાં સાધારણ રીતે સંજ્ઞી પંચેન્દ્રિમાં જ્ઞાનાવરણને જેટલે પશમ હોય છે, તે કરતાં વધુ જ્ઞાનાવરણ ક્ષયોપશમની આવશ્યક્તા હોતી નથી, કિન્તુ ઉપર કહ્યું તેમ બ્રાન્તિ નિરાસની જ અગત્યતા છે. જો કે સર્વથા બ્રાન્તિને નિરાસ કૈવલ્યદશામાં થાય છે, પણ કેટલેક અંશે મુદ્દાની બાબતમાં બ્રાન્તિ ટળી ગઈ હોય તે ક્રમશઃ સર્વ બ્રાન્તિરહિત એવી ઉરચ સ્થિતિ ઉપર આવવું સહેલા થઈ પડે છે. જેમ વસ્ત્રને એક છેડે સળગતાં ક્રમશઃ તે આખું વસ્ત્ર બળી જાય છે, તેમ આત્મબ્રાન્તિનું આવરણ એક દેશથી ખસ્યું એટલે તે સર્વથા નષ્ટ થવાને ચગ્ય થઈ જાય છે. જેમ બીજને ચંદ્ર ક્રમશઃ પૂર્ણતા ઉપર આવે છે, તેમ બ્રાન્તિના આવરણને અંશ નષ્ટ થતાં જે બીજજ્ઞાન પ્રગટે છે તે ક્રમશઃ પૂર્ણતા ઉપર આવી જાય છે. એ કારણે સમ્યકત્વ એ ખરેખર મેક્ષવૃક્ષનું બીજ છે અને તેનું મૂખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy