SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ આધાર જ્ઞાન ઉપર નથી પણ રુચિ ઉપર છે. એ ચિને સુધારનાર જ્ઞાન તારક છે, અને બગાડનાર જ્ઞાન ડૂબાવનાર છે. અધમ અચિવાળા આત્માઓ પોતાની તે ચિને છેડી નહિ શકતા હોવાથી ઉત્તમ રુચિવાળા આત્માઓ પ્રત્યે તેમને વિરોધ ચાલુ હોય છે. એ વિરોધનું મૂળ રુચિને ભેદ છે. જ્યાં સુધી બે વિરુદ્ધ પ્રકારની રુચિ રહેવાની છે ત્યાં સુધી એ વિરોધ પણ કાયમ રહેવાનો છે. એ વિરોધને જેઓ ટાળવા ઈચ્છતા હોય, તેઓએ રચિનો ભેદ ટાળવાની પ્રથમ આવશ્યક્તા છે. પરસ્પર વિરુદ્ધ રુચિવાળા જ પિતાની તે રુચિને સમાન બનાવ્યા વગર એકમતિ બનાવવા માગતા હોય અગર તેઓને જે કઈ એકમતિ બનાવવા ઈચ્છતું હોય, તે તેઓની તે ઈરછા કેવી રીતિએ ફલિભૂત થવાની છે? એકમતિ બનવા માટે રુચિની એકતા કરવી એ પ્રથમ આવશ્યક છે. તે ચિની એક્તા કરવાનો પ્રયાસ કર્યા વગર જ જગતને એક અભિપ્રાયવાળું બનાવી દેવાની ચેષ્ટા કરવી, એ એક બાલિશ ચેષ્ટા જ છે. સર્વધર્મસમભાવ, સર્વદર્શનસમભાવ, સર્વશાસ્ત્રસમભાવ આદિની વાત કરનારા એ ધર્મરુચિ સમાજને ધર્મરુચિથી ભ્રષ્ટ કરી અધર્મરુચિ બનાવવા માટે પ્રયાસ કરનારા છે. જ્યાં સુધી ચિભેદ રહેવાને છે ત્યાં સુધી ધમભેદ પણ રહેવાને છે, ધર્મભેદ રહેવાને છે ત્યાં સુધી દર્શનભેદ પણ રહેવાને છે, દર્શનભેદ રહેવાને છે ત્યાં સુધી શાસ્ત્રભેદ પણ રહેવાનું જ છે અને શાસ્ત્રભેદ રહેવાને છે ત્યાં સુધી જ્ઞાનભેદ પણ રહેવાને છે. એ જ રીતિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy