________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૫૭
કરી શકે છે. વસ્ત્ર કે શરીરની શુદ્ધિ નહાય તા પણ હાઢ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધેા નથી. ચાલવાનું કામ પગનું છે, તે વખતે પણ મનને જાપના કામમાં જોડવામાં આવે તે જાપ થઈ શકે છે. જ્યારે રેલ્વેમાં કે વાહુનમાં મુસાફરી કરતા હૈા ત્યારે પણ તમે ત્યાં બેઠા બેઠા મનમાં જાપ કરી શકા છે. પથારીમાં સુતાં સુતાં પણ જ્યાં સુધી નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય તે સ્વપ્ન પણ સારાં આવે છે. મતલબ કે-ગમે તે વખતે અને ગમે તે સ્થાને અશુચિસ્થાન વઈને જાપ કરવામાં વાંધા નથી.
મનુષ્યાનું આયુષ્ય ગમે તે પ્રકારે પૂરું થવાનું છે, પણ પેાતાના જીવનમાં એકાદ મહત્ત્વનું કાર્ય કર્યું હોય તા ભાવી જીંદગી સુખી અને છે.
વ્યવહારના કોઇ પણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, કાર્ય પૂરું થાય કે તરત પ્રભુનું નામ યાદ આવે અને સ્વપ્નદશામાં પણ પરમાત્માનું સ્મરણ ચાલુ રહે, આટલી સ્થિતિ મનુષ્ચા આ જીવનમાં પ્રાપ્ત કરે, તે તેણે મનુષ્યજીવનમાં સારી કમાણી કરી ગણાય અને તેને જન્મ સલ થયે। કહેવાય.
જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પેાતાનું સાધ્ય સ્મરણમાં રહે, મેરેમમાં પોતાનું લક્ષ પરિણમી રહે, તે જાપ ઉત્તમ છે. આવે! જાપ ‘૩૪ અર્દ ન... આ પાંચ અક્ષરના છે. આનો અર્થ આ પ્રમાણે છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org