SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૧૫ આ તે એક દૃષ્ટાંત છે. આ જ રીતિએ તેમના સમવસરણને ચિતાર ખડે કરી તે ઉપર એકાગ્રતા કરશે. તેમને થયેલા ઉપસર્ગ અને તે વખતની સ્થિતિ યાદ કરી તેમના શરીર ઉપર એકાગ્રતા કરે. આ જ પ્રમાણે વીશેય શ્રી તીર્થકરદે અને તમારા પરમ ઉપકારી કઈ પણ ગુરુ-ગી મહાત્મા હેય તેમના શરીર ઉપર પણ એકાગ્રતા કરે. ગમે તેવાં ઉત્તમ અવલંબને લઈને એકાગ્રતા કરવી, એમાં કાંઈ આગ્રહ કે વાદવિવાદ કરવાનું છે જ નહિ. સદગુણ ઉપર એકાગ્રતા-સદ્ગુણ ઉપર એકાગ્રતા થઈ શકે છે. કેઈ એક સગુણ લઈ તે ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિ દ્વારા તેનું મન જાગૃત થઈ તદાકાર થશે. ઊંચામાં ઊંચે સગુણ પિતે કલ્પી શકાય તેવો ક૫. તેની સામાન્ય રીતે અસર જ્યારે મન ઉપર થાય ત્યારે તેના તાત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવું. છેવટે આ સગુણની એકાગ્રતા સ્વાભાવિક તેના પિતાના ઉપર થાય છે અર્થાત્ પિતે તે તે ગુણરૂપ બની રહે છે. સૂચના-આ ભક્તિવાળું કે સગુણવાળું અવલંબન મનમાંથી જતું રહેશે અથવા તેમાંથી મન નીકળી જશે. એક વાર નહિ પણ વારંવાર તેમ થશે. તે અવસરે નહિ ગભરાતાં, તે અવલંબન વારંવાર મનમાં ઠસાવવું-ફરી ફરી તે વસ્તુ સાથે જોડી દેવું. આરંભમાં તે વારંવાર મન લયથી ખસી જશે, પણ એ વાત છેડે વખત તે લક્ષમાં પણ નહિ આવે. પછી એકાએક તે વાત પાછી યાદ આવશે કેહું જેના ઉપર એકાગ્રતા કરવાનો વિચાર કરતે હવે તેને *૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy