SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૩૭ નહિ. ઉંધી ગયેલ માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ-જે જીવ ચારિત્રમાહનીય નામની નિદ્રામાં સુતા છે તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મેહભાવ ક્ષય થાય તેા જ અવિરતિરૂપ ચારિત્રમાહનીયની ક્રિયા બંધ પડે છે. તે પહેલાં તે બંધ પડતી નથી. ક્રિયાથી થતા બંધ મૂખ્ય એવા પાંચ પ્રકારે છે. (૧) મિથ્યાત્વ પાંચ, (૨) અવિરતિ ખાર, (૩) કષાય પચીશ, (૪) પ્રમાદ, અને (૫) યાગ પદર. આ વિષયક ગ્રંથાદિકમાંથી સમજવા ચેાગ્ય છે. જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી હાય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તેા અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસદેહ છે કારણ કે-મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી માહભાવ જતા નથી. જ્યાં સુધી માહભાવ કાયમ છે ત્યાં સુધી અભ્યંતર વિરતિપણું થતું નથી અને ભૂખ્યપણે રહેલા એવા જે માહભાવ તે નાશ પામવાથી અભ્યંતર અવિરતિપણું રહેતું નથી: અને જે બાહ્ય અવિરતિપણું આદરવામાં ન આવ્યું હેાય તે પણ અભ્યંતર છે તા સહેજે બહાર આવે છે. અભ્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદ્દય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તે પણુ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે; કારણ કે—અભ્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે; જેથી હવે અવિરતિપણું છે નહિ કે તે અવિરતપણાથી ક્રિયા કરી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy