________________
-
૧૨૪ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા નષ્ટ થાય છે. પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી દૂષિત વચનેરૂપી ધુલીને વેરનાર લિંગિઓના–મુનિ વેષ ધારણ કરનારાએના વિકૃત પ્રલાપ શું સંભળાતા નથી ? અર્થાત્ ઘેલછાના પ્રતાપે સંભળાય છે. પત્રકલત્રને જેણે ત્યાગ કર્યો છે, મૂરછથી જે રહિત છે તથા જ્ઞાન માત્રમાં જે પ્રતિબદ્ધ છે એવા ગીને પુદ્ગલજનિત બંધનથી શું? બાહ્ય તથા અભ્યતર પરિગ્રહને તૃણવત્ તજી દઈને જે ઉદાસીનભાવને ભજે છે, તે જ સાચા મુનિ જાણવા. મૂચ્છાએ કરીને જેની બુદ્ધિ આચ્છાદિત છે તેને સર્વ જગત પરિગ્રહ છે અને મૂરછીથી જે રહિત છે તેને સર્વ જગતુ અપરિગ્રહ છે.
૨૬. અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રને વ્યાપાર માત્ર દિગદર્શન–દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રને પાર પમાડે છે. વિશુદ્ધ અનુભવ વિના સેંકડે શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પંડિતે કહે છે. સુધા અને તૃષા,શેક અને મેહ,કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિકલેશ છે, એવા શુદ્ધ બે વિના લીપીમય, અક્ષરમય, વાણીમય અથવા હૃદયને વિષે જલ્પાકારરૂપ ચિંતન-એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઈ શકે નહિ, પણ ઈષ્ટનિષ્ટ વિકપ વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને મેહના અભાવથી) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સ્વસંવેદ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે.
. ચોગવાન-આત્માને મેક્ષની સાથે જોડવાથી સર્વ આચાર પણ વેગ કહેવાય છે. તેના ભેદ કરીને સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન તે જેને ગોચર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org