________________
જનતત્વ વિચાર
થતું નથી. એને ખેંચવામાં તેમ ઢીલ કરવામાં બન્ને પ્રકારે બળ ખર્ચવું પડે છે. છતાં વાંસ તો સ્થિર થત જ નથી. તેમ અજ્ઞાન અને મૂઢતાપૂર્વક વસ્તુને ગ્રહણ કરવામાં તેમ તેને ત્યાગ કરવામાં–એમ બન્ને પ્રકારે આત્મવીય ખર્ચવું પડે છે, છતાં આત્મપરિણામ કદી સ્થિર કે શાંત થતા નથી. ખરી વાત એ છે કે જે તે વાંસને સ્થિર કરવો હોય તે તેને બાંધેલી બને છેડાવાળી રસીને છોડી દૂર કરવામાં આવે અને તે જ તે વાંસ સ્થિર થાય, તેમ જીવ જેટલી એ પરવસ્તુના ગ્રહણ–ત્યાગની સાવધાનતા રાખે છે, તેટલી પોતે રસપૂર્વક ગ્રહણ કરી રાખેલા રાગદ્વેષમય વિકલોના ત્યાગની સાવધાનતા રાખે તો સહેજે આત્મપરિણામ સ્થિર અને શાંત થાય.
રાગ-દ્વેષની માત્રા આત્મામાં જયાં સુધી બની રહે છે, ત્યાં સુધી કર્મબંધન છૂટવાના અવસરે પણ રાગદ્વેષ વશીભૂત થઈ તે બંધાયા જ કરે છે અર્થાત્ કર્મબંધન છૂટવા માત્રમાં વાસ્તવિક કલ્યાણ નથી, કારણ કે–બંધનું મૂળ કારણ રાગ, છેષ મેજૂદ છે. એક બંધનની નિવૃતિ ટાણે બીજા ચિત્રવિચિત્ર બંધને તુરત તેને જકડી લે છે, તેથી બંધનની ચિરશૃંખલા કદી તૂટતી જ નથી. એમ છૂટવું એ કર્મબંધથી વાસ્તવિક છૂટકારો નથી. જે કર્મબંધનથી વાસ્તવિક છુટવું હોય, તે ઈતસ્તતઃ આત્મપરિણામનું ભ્રમણ વા તેના કારણરૂપ રાગદ્વેષને સમ્યક પ્રકારે રોકવામાં આવે તે જ કર્મબંધન સર્વથા રેકાઈ જાય, અને તેને સર્વથી પ્રબળ અને સમ્યક ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક સમપરિણતિમાં સ્થિર થઈ નિઃસર્વ કરવામાં આવે, એને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org