SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દશનેમાં યોગ 21 શકાય તેમ નથી, છતાં પરીક્ષા વિના ધર્મ બીજનું વપન કરવામાં આવે તો એ જીવ ધમનુષ્ઠાનનું વિપરીતપણે જ આચરણ કરે. અતઃ એનું અધઃપતન અને સંસારમાં પર્યટન થાય, જેના નિમિત્ત તરીકે એ અપરીક્ષક જીવ જ આલેખાય અને એથી જ એ જીવ પણ સંસારમાં ભમણ કરનારે બને. જ્યારે જીવમાં પરલોક પ્રધાનતાને ભાવ પ્રગટ થાય અને એથી પરલોકસાધક શાસ્ત્ર પ્રત્યે સદભાવ પ્રગટ થાય, ત્યારે એ જીવમાં પ્રણિધાનાદિરૂપ પાંચ આશાને શુભ પરિણામ ક્રમશ: પ્રગટ થાય. એ પાંચેય આશયે કાંઈક બાહા ક્રિયારૂપ હોવા છતાં અંતરના શુભ પરિણામરૂપ છે. અતઃ એ ભાવરૂપ છે અને એથી જ આ ભાવ વિના જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે દ્રવ્યરૂપમાં જાય છે એટલે તછરૂપે ગણાય છે, બલકે હાનિકર પણ બની જાય. “શિક્ષિતાદિ' વિશેષણોથી અલંકૃત પણ આવશ્યકાદિ અનુ ઠાન ઉપર્યુંકત આશયપંચક શૂન્ય હોય અર્થાત્ એ આશયરૂપ ઉપગ યા તે ભાવથી શૂન્ય હોય તે તરછ ગણાય, ત્યારે અશુદ્ધ તો વિચાર જ શું કરો ? ધર્મબીજની લાયકાતવાળા જીવમાં ધર્મબીજનું વાવે. તર થયા બાદ દેશનાદિ દ્વારા જે એનું સિંચન કરવામાં આવે છે તે અંતમાં સદ્ધર્મની એટલે કેત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લેકોત્તર ધમ વાસ્તવિક નિર્મળ ચિત્તરૂપ છે અને એ નિર્મળ ચિત્તના શુભ પરિણામજનિત શુભ અનુષ્ઠાનરૂપ છે. જ્યાં સુધી મળનો વિગમ થતો નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મનો પ્રાદુર્ભાવ થતો નથી. - રાગ, દ્વેષ અને મેહ એ મળરૂપ છે. તેમનો સમ્યગજ્ઞાન અને સમ્યક્રક્રિયા દ્વારા વિગમ થાય છે. એ વિગમ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy