________________ 332 જૈનતત્ત્વ વિચાર [ 392 ] વ્યવહારનયથી દરેક જીવ પિતપોતાના શુભાશુભ કર્મને કર્તા અને તે જ તેને જોતા છે. [ 393 ] ઈશ્ચર આ લેકમાં કોઈના પણ કર્તાપણાને અથવા કર્મોને સર્જતો નથી, તેમ જ કર્મોનાં ફળોનાં સંચાગને પણ ઉત્પન કરતો નથી. માત્ર મનુષ્ય સ્વભાવ–પ્રકૃતિથી જ શુભાશુભ કર્મો કરે છે અને તેના ફળોને ભેગવે છે. [ 394 ] સરકારનું એવું સામર્થ્ય છે કે-પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થા–આ ભવના સંસ્કારે જેવી બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેવા પ્રકારનાં પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે. [ 35 ] ગત ભવમાં આપણે જે કૃત્ય કર્યા હશે, તે આજે આ ભવમાં આપણે જોગવી રહ્યા છીએ અને આવતા ભવ માટેની પણ આજે જ તૈયારી કરી રહ્યા છીએ. [ 396 ] આજનું જીવન એ પૂર્વે બાંધેલા કર્મોની પ્રસાદીરૂપ છે, આજના આપણા સુખ–દુઃખ કે તડકા-છાંયડા–એ બધુંય ભૂતકાળની આપણી કરણનું જ પરિણામ છે અને ભૂતકાળની કરણી તે જ આજના અનુભવાતાં કર્મો છે. [ 37 ] રાજા, રંક વિગેરેની વિશ્વમાં જે વિચિત્રતા છે, તે જીવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org