SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ મનને વશ કરવાના ઉપાય 203 અભ્યાસ સપૂર્ણ દઢ ન થાય ત્યાં સુધી ચેડા થોડા વખત તે અભ્યાસ ચાલુ રાખવા. પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિના વ્યય થાય છે. જયારે અભ્યાસી પૂર્વે કહી આવ્યા તેવા સ્થિર મનન કરવાના કા માં વિટાયેલા હોય ત્યારે અન્ય વિચારને મૂકી દેવે અને જો મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તો તરત જ તેમાંથી પેાતાનું મન નિવૃત્ત કરી ખે ચી લેવુ. કોઈ પણ વિચાર ખલાકારે મનમાં આવે તો તેનાથી આગ્રહસહિત પાછું ફરવુ', અર્થાત્ પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને મૂકી દેવા-કાઢી નાંખવા. જરૂર જણાય તો શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની (આકાશની) કલ્પના કરવી. કેવળ શાંતતા તથા અંધકારના અનુભવ કરવાના યત્ન કરવા. આ પ્રમાણે જો આગ્રહસહિત અભ્યાસ કરવામાં આવશે, તો નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે અને સ્વસ્થતા તથા શાંતિ મળશે. ખાહ્ય ભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવુ', એ ઉત્તમ ભૂમિકાના પ્રારભની નિશાની ચા પ્રસ્તાવના કરવા જેવુ છે. મનને શાંતિ આપવાનો સરળ માર્ગ મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાના અનન્ય મા અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણા સહેલા મા વિચારતુ' પરાવર્તન કરવાના છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિરંતર આગ્રહસહિત વિચાર કરતો હાય, તેણે અને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચારશ્રેણિ રાખવી જોઈએ, કે જે શ્રેણિ ઉપર તે પોતાનું મન વિશ્રાંતિ માટે પરાવર્તન કરી શકે, જેમકે દ્રવ્યાનુ ચેાગના વિચાર કરનારે મગજ અથવા મનની વિશ્રાંતિ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy