SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મનને વશ કરવાના ઉપાય 195 નહિ પણ વારંવાર તેમ થશે. તે અવસરે નહિ ગભરાતાં, તે અવલખન વારવાર મનમાં ઠસાવવુ ફરી ફરી તે વસ્તુ સાથે જોડી દેવું. આરંભમાં તે વાર વાર મન લક્ષ્યથી ખસી જશે, પણ એ વાત થાડા વખત તો લક્ષમાં પણ નહિ આવે. પછી એકાએક તે વાત પાછી યાદ આવશે કે—તુ જેના ઉપર એકાગ્રતા કરવાના વિચાર કરતા હતા તેને મૂકી કેવળ કોઈ જુદી જ વસ્તુના વિચાર કરું છું. આમ વારંવાર થશે, પણ કૌય તાથી મનને પાછુ તે ધ્યેય–એકાગ્રતા માટેના અવલંબન ઉપરચાંટાડવુ". આ ક્રિયા મહેનત આપનાર લાગશે, પણ તેમ કર્યા સિવાય છૂટકો જ નથી; કારણ કે–એકાગ્રતા સિવાય આત્મમાગ માં આગળ વધારશે જ નહિ. આ વાત શરૂઆતમાં જ જણાવી છે. જ્યારે મન આપણી વિસ્મૃતિને લઈ કેઈ અન્ય વિચાર ઉપર ભ્રમણ કરતું હેાય ત્યારે તે જે માગે થઈને ગયુ. હાય અર્થાત્ જે ક્રમે એક પછી એક વિચાર કરતુ આડે રસ્તે ગયું હાય, તે જ રસ્તે ઉત્ક્રમે અર્થાત છેવટના વિચારથી પકડી શરૂઆતના વિચાર ઉપર લાવી પાછુ ચાલતા અવલઅનમાં ચાંટાડવુ. આ ક્રિયા ઘણી ઉપયેાગી અને મનને મેધ તથા પરિશ્રમ આપનાર છે, તેમજ આ ક્રિયાથી વાર વાર ચાલ્યા જતા મનેઅશ્વને કાબૂમાં રાખવાની શક્તિમાં વધારે થાય છે. અનેક વિચારક્રમ * એકાગ્રતાના અભ્યાસ જેઓને કઠીન પડે તેઓએ જૂદી જૂદી જાતના અનેક વિચાર કરવા.’ આ પણ એકાગ્ર તાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી; કેમકે—જૂદા જૂદા વિચારે કરવામાં મનને અનેક આકાર ધારણ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy