________________
મનને વશ કરવાને ઉપાય
189 'નિરાશ થઈ જાય અને પોતાને અભ્યાસ મૂકી દે, તે મન છૂટી જશે, પછી કદી સ્વાધીન નહીં થાય, પણ હિંમત રાખીને તે પિતાને અભ્યાસ આગળ વધારશે, તે ઘણી અપળતા અને વિક્ષેપતાવાળું મન શાંત થઈ સ્વાધીન થઈ જશે. પહેલી “વિક્ષિપ્ત) દશા ઓળંગ્યા પછી યાતાયાત દશા છે. યાતાયાત એટલે જવું અને આવવું. જરા વાર મન સ્થિર રહે, વળી ચાલ્યું જાય અથર્ વિકલ્પ આવી જાય, વળી સમજાવીને યા ઉપગથી સ્થિર કરાય, વળી ચાલ્યું જાય, આ “યાતાયાત અવસ્થા છે. પહેલી કરતાં બીજી શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદને લેશ રહે છે, કારણ કે જેટલી વાર સ્થિર રહે તેટલી વાર તો આનંદભેગવે છે.
શ્લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા સ્થિરતા અને આનંદવાળી છે તથા “સુલીન' નામની એથી અવસ્થા નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવાં નામ તેવા જ તેના ગુણે છે અને તે જ બે મનને ગ્રહણ કરવાને વિષય છે, એમ જ્ઞાની પુરૂએ કહ્યું છે.”
વિવેચન-જેટલી મનની સ્થિરતા તેટલે આનંદ. ત્રીજી મનની અવસ્થામાં બીજી કરતાં સ્થિરતા વિશેષ હોવાથી આનંદ પણ વિશેષ હોય છે, તેથી પણ અધિક સ્થિરતા ચોથી અવસ્થામાં છે. તેમાં મન નિશ્ચલ થાય છે અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે. તે મનને વિષય આનંદ અને પરમાનંદ છે.
આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના કેમવડે અભ્યાસની પ્રબળતાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org