________________
140
જનતત્ત્વ વિચાર
કરવામાં વિશેષ શ્રમ પડતો નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે.
ઉપર ઉપરને મેલ દૂર કરવામાં જે બળ વપરાય છે એની સટશ “યથાપ્રવૃત્તિકરણ છે, ચિકાશ દૂર કરવામાં વિશેષ બળ તથા શ્રમની સમાન “અપૂર્વકરણ છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રન્થિને શિથિલ કરે છે. બાકી બચેલા મેલ અથવા ચિકાશ દૂર થયા બાદ ફરીને લાગેલા મેલને દૂર કરવાવાળા બળ—પ્રયોગની સમાન “અનિવૃત્તિકરણ છે, ઉક્ત ત્રણેય પ્રકારના બળ-પ્રયાગમાં ચિકાશ દૂર કરવા- વાળો બળ-પ્રવેગ જ વિશિષ્ટ છે.
એ પ્રકારે અપૂર્વકરણરૂપ પરિણામદ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમેહ પર વિજય પ્રાપ્ત કરવો સહજ છે. દર્શનમોહ છતા એટલે પહેલા ગુણ સ્થાનની સમાપ્તિ થઈ.
વિકાસકમની ચેાથી ભૂમિકા આ પ્રમાણે થવાથી જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની ભ્રાન્તિની જેમ પરરૂપમાં સ્વરૂપની બ્રાતિ હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છેઅર્થાત્ તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં “અન્તરાત્મભાવ” કહેવાય છે. કારણ કે-આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પેતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org