________________
106
જેનતત્ત્વ વિચાર. ~ ~- ~
~-~ગુરૂ-સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી બધાએ નયેની પર સ્પર વિરુદ્ધ વક્તવ્યતા સાંભળીને સર્વ નેને સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય તે મુકિતનું સાધન છે. અર્થાત્ ચારિત્રરૂપ કિયા અને જ્ઞાનાદિ ગુણ એ ઉભય (જ્ઞાન-કિયા) વડે જે સાધ્ય હોય તે મોક્ષસાધક છે, પણ બેમાંથી એક કોઈ પક્ષ મેક્ષસાધક નથી. જ્ઞાનનયવાદી કહે છે કે- “જે જેના વિના ન થાય તે તેનું કારણ છે.” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે, કેમ કે જ્ઞાન માત્રથી જ પુરુષાર્થ. સિદ્ધિ છે, એવું કયાંઈ પણ જણાતું નથી. દાહ-પાક આદિ કરવાના અથને દહનાદિના જ્ઞાન માત્રથી જ દાહદિક કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અગ્નિ લાવ, તેને કું કે, સળગાવ વિગેરે ક્રિયા પણ કરવામાં આવે તે જ તે દાહાદિ કાર્યની સિદ્ધિ થાય છે, શ્રી તીર્થકર ભગવંતે પણ માત્ર કેવળજ્ઞાનથી જ મોક્ષ સાધે છે એમ નહિ, સાથે યથા.
ખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હોય છે. માટે સર્વત્ર પુરુષાર્થ સિદ્ધિનું કારણ જેમ જ્ઞાનસિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેનું કારણ સિદ્ધ થાય છે, કેમકે તેના વિના પુરુષાર્થ સિદ્ધિ થતી નથી, માટે એ હેતુ અને કાન્તિક છે.
એ જ પ્રમાણે ક્રિયાનયવાદીએ જે જેના પછી થનારુ હોય તે તેનું કારણ છે, ઈત્યાદિ પ્રયાગમાં જે જેના પછી થનાર રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને એકા– ન્તિક છે; કારણ કે સ્ત્રી ભઠ્ય–ભેગ આદિન ક્રિયાકાળમાં જ્ઞાન હોય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એ જ પ્રમાણે શૈલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ ક્રિયાકાળે પણ કેવલજ્ઞાન હોય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હોતી માટે એ હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપરોક્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org