SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ p વેર અને બદલા લઈને પેાતાના ઘર તરફ આવવા નીકળ્યાં. ધન્યા ભદ્રાના માં સામું જોઈ જોઈને બહુ દુઃખી થવા લાગી. એને એમ જ લાગવા માંડયું કે, ઘેર પહેાંચતાં જ ભદ્રા એક-બે દિવસમાં છેકરાને મારી નાખશે. પણ ભદ્રાની આખરૂ એટલી બધી સારી હતી, તથા પતિને પણ ભદ્રા ઉપર એટલા બધા વિશ્વાસ હતા કે, ધન્યા કશું માંએ કહી શકી નહિ. ભદ્રા હસતી હસતી વારંવાર છેકરા સામું જ જોયા કરતી. તેવામાં એક વખત ધન્યાએ ભદ્રાની આંખમાં એવા વિકાર જોયા કે, તે પાતાના છેાકરાને લઈને પાછી દાડી; અને માર્ગમાં એક સ્થળે બુદ્ધ ભગવાન ઉપદેશ આપતા હતા ત્યાં જઈ, તેમના ચરણમાં તેણે પાતાના છેાકરાને મૂકી દ્વીધા. પાછળ જ તેના પતિ અને ભદ્રા પણ દોડતાં દાડતાં આવ્યાં. બુદ્ધ ભગવાન બધું સમજી ગયા. તેમણે તે બધાંને પાસે બેસાડીને, એક જન્મનું વેર ખીજા જન્મમાં કેવી રીતે ચાલ્યા કરે છે, અને તે જન્મનું વેર પાછું તેની પછીના જન્મમાં કેવું ચાલ્યા કરે છે, તે વિષે એક વાત ઉપાડી. એક જન્મમાં એક નાળિયાએ સાપને માર્યાં; પછીના જન્મમાં તે સાપે વાધ થઈને, હરણ ખનેલા નાળિયાને માર્યાં; ઇત્યાદિ. પછી જન્મેાજન્મ એ વેરને એમ ચાલ્યા કરતું તથા વધતું જતું બતાવીને ભગવાને કહ્યું કે, આ વેર-ચક્રને અટકાવવાના સાચા ઉપાય એ છે કે, વેરને પ્રેમથી ભૂંસી કાઢવું. વેરના બદલે લેવાથી વેરના અંત આવતા નથી, પણ નવું વેર પાછું ઊભું થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy