________________
કર
મહાવીરસ્વામીને આચા૨ધર્મ મુનિઓને જોઈ ખેદ પામતાં તેમનાં સ્વછંદી અને કામમાં આસક્ત સગાંવહાલાંએ રુદન કરી કરીને તેમને પિતાને ન છેડી જવાને વીનવ્યા છે. પરંતુ, તેમનામાં જેને પિતાનું શરણું દેખાતું નથી, તે તેઓમાં આસક્તિ કેમ કરીને રાખે? ખરે! જેણે સગાંવહાલાંને છેડ્યાં છે એ અસાધારણ મુનિ જ આ સંસારપ્રવાહને તરી શકે છે. આ પ્રકારના જ્ઞાનની હંમેશ ઉપાસના કરવી એમ હું કહું છું. [૧૭૯-૮૦
લેકને કામરાગથી પીડિત સમજીને તથા પિતાના પૂર્વસંબંધેને ત્યાગ કરીને, ઉપશમયુક્ત અને બ્રહ્મચર્યમાં સ્થિત થયેલા ત્યાગી કે ગૃહસ્થ જ્ઞાની પાસેથી ધર્મને યથાર્થ જાણીને તે પ્રમાણે વર્તવું. બધી નિઓને બરાબર સમજનારા, ઉદ્યમવંત, હિંસાને ત્યાગ કરનારા અને સમાધિયુક્ત એવા જ્ઞાની પુરુષે અન્ય મનુષ્યોને મુક્તિને માર્ગ બતાવે છે. અને કેટલાય વીર પુરુષો તેમની આજ્ઞાને અનુસરી પરામ કર્યું જાય છે, ત્યારે, આત્માની સમજ પ્રાપ્ત ન કરનારા કેટલાય જગતમાં રિલાયા કરે છે. [૧૮૧, ૧૭૨
ધર્મ સ્વીકારીને શરૂઆતથી જ સાવધાન રહેવું અને ક્યાંય આસક્ત ન થવું. દઢ એવા મહામુનિએ બધું મેહમય છે એમ સમજી સંયમમાં જ રહેવું. બધી રીતે સંગેને વટાવીને, તથા મારું કોઈ નથી અને હું એકલે છું એમ વિચારીને, વિરત મુનિએ સંયમમાં યત્ન કરતા વિહરવું. ધર્મ જ મારે છે બીજું કાંઈ મારું નથી” એ જાતનું જિનાજ્ઞા પ્રમાણેનું આચરણ મનુષ્યમાં ઉત્કૃષ્ટવાદ કહેવાય છે. ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજીને દષ્ટિમાન પુરુષ પરિનિર્વાણ પામે છે. જેઓ ફરી સંસારમાં નથી આવતા તેઓ જ સાચા “નગ્ન છે. [૧૮૩-૪, ૧૫
૧. મૂળઃ માકર (માતુર) ૨. મૂળ: વસુ કે અવમુ. ૩. અલક- સાધુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org