________________
નિવેદન
[પહેલી આવૃત્તિ ઉપરથી
C.
માચારાંગસૂત્રને આ અનુવાદ સૂત્રકૃતાંગના અનુવાદની માફ્ક છાયાનુવાદ જ છે. જૂનાં આગમાની બાબતમાં એ અનુવાદપદ્ધતિ જ વધુ ઉપયોગી છે, એમ આચાર્યશ્રી આનંદશંકરભાઈ જેવા શાસ્ત્રજ્ઞ પંડિતાએ પણ કબૂલ કર્યુ છે. આચારાંગની બાબતમાં તે, તે પદ્ધતિ વળી વિશેષ જરૂરી છે, કારણ કે, મુખ્યત્વે છૂટાં છૂટાં વાકયોના સંગ્રહ છે. જૂના ટીકાકારા, અલબત્ત, દરેક વાકયોને આગલા વાકય સાથે સંબંધ જોડવા પ્રયત્ન કરે છે; પણ તે બધે પ્રતીતિકર થાય જ છે એમ ન કહી શકાય. આવા સંગ્રહમાં એક જ વિષયનાં જુદાં જુદાં વાકો ક્રમ વિના ગમે ત્યાં પડયા હાય, એ સ્વાભાવિક છે. તે બધાંને તેમની જગાએથી ઉપાડી લઈ, કં કે વિષય કે દલીલના ક્રમમાં ગાઠવી શકાય, તે તે વિષય કે દલીલનું નિરૂપણુ સચાટ થાય, ઉપરાંત ઘણું પુનરાવર્તન સહેજે દૂર થાય. તે પણુ, કેટલાંક વાકયો અને સ્થળેા એવાં રહેવાનાં જ; કે જેમને તે અધ્યયનના નિરૂપણુમાં કશા જ મ ગોઠવવા શકય ન હેાય. તેવાં કેટલાંક સ્થળેા આ અનુવાદમાં હજુ પણ દેખારો.
ઞામ વાકયોના ક્રમની ઊલટપૂલટ કરવા જતાં, કાઈ વાર ભૂલથી કે ગેરસમજથી એ વાકયોના સાચા ક્રમ તાઢી નાખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org