________________
૭૨
મહાવીરસ્વામીને આચારધમ ઉત્તમ ધર્મપદને અનુસરનાર, તૃષ્ણારહિત, ધ્યાન અને સમાધિયુક્ત તથા અગ્નિની શિખા જેવા તેજસ્વી એવા તે વિદ્વાન ભિક્ષુનાં તપ, પ્રજ્ઞા, અને યશ વૃદ્ધિ પામે છે.
तहा विमुक्कस्स परिन्नचारिणो,
घिईमओ दुक्खखमस्स भिक्खुणो । विसुज्झई जंसि मलं पुरेकडं,
समीरियं रुप्पमलं व जोइणा ॥ (अ० १६) એ પ્રકારે કામગુણમાંથી મુક્ત રહી, વિવેકપૂર્વક આચરણ કરતા તે યુતિમાન અને સહનશીલ ભિક્ષનાં, પૂર્વે કરેલાં તમામ પાપકર્મ અગ્નિથી જેમ ચાંદીને મેલ દૂર થઈ જાય, તેમ સાફ થઈ જાય છે.
इमंमि लोए परए य दोसुवि,
__न विज्जई बंधण जस्स किंचिवि । से हु निरालंबणमप्पइट्ठिए,
_____ कलंकलीभावपहं विमुच्चई त्ति बेमि ॥ (अ० १६) આ લેક ને પરલોક બંનેમાં જેને કશું બંધન નથી, તથા જે બધા પદાર્થોની આશંસાથી રહિત, નિરાલંબ અને અપ્રતિબદ્ધ છે, તે તે મહામુનિ ગર્ભમાં આવવા-જવામાંથી મુક્ત થાય છે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org