________________
૧૩
પરક્રિયા ભિએ પોતાને લગતી, ગૃહસ્થોએ કરેલી, નીચેની કર્મબંધજનક ક્રિયાઓ ઈચછવી નહીં, તેમ અટકાવવી પણ નહીં. ૧]
જેમ કે, કોઈ ગૃહસ્થ મુનિના પગ લૂછે, ચપે કે દાબે; તેમના ઉપર હાથ ફેરવે; તેમને રગે; તેમને તેલ, ઘી કે ચરબી મસળે; યા તે બધું પગ ઉપર પડે; યા પગને લેધ, કચ્છ, ચૂર્ણ કે વર્ણ વડે ખરડે, યા તેમને ગરમ કે ઠંડા પાણીથી પખાળે કે ધુએ; તેમને કશાને લેપ કરે કે ધૂપ કરે; પગમાંથી ખીલી કે કાંટો કાઢી નાખે, કે તેમાંથી પર, લેહી વગેરે કાઢી તેને ચેઓ કરે;– તો તેણે તે ઇચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૨-૧૦].
એ જ પ્રમાણે શરીરની બાબતમાં, તેમ જ તેમાં રહેલાં ત્રણ, ગડગૂમડ, ચાંદી, ભગંદર વગેરેની બાબતમાં પણ સમજવું. [૧૧-૪]
કોઈ ગૃહસ્થ મુનિના શરીરને પરસેવે, મેલ, કે આંખ કાન અને નખનો કચરો સાફ કરે; કે કોઈ તેના વાળ, રામ, ભવાં, બગલ કે ગુહ્યપ્રદેશના વાળ લાંબા દેખી કાપી નાખે, કે નાના કરે; તે તે તેણે ઈચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૧૫-૭]
કોઈ ગૃહસ્થ મુનિના માથામાંથી લીખ કે જ વી કાઢે, કે તેને ખેળામાં કે પલંગમાં સુવાડી, તેના પગ વગેરે દાબી – મસળે;
૧. મૂળમાં “ર નિયતિ' છે. ટીકાકાર એને અથ, શરીર અને વાણુ વડે બીજા પાસે કરાવવી પણ નહિ એ લે છે. પરંતુ તે ઠીક નથી લાગતા. કારણ કે, ગૃહસ્થ પિોતે અમુક વસ્તુ કરતા આવે, તે તે બાબતમાં કેમ વર્તવું, તેને અહીં આદેશ છે. “સાધુએ પોતે તેમને ઇવી નહિ ( માસ્વયે); પછી બીજ સેવા કરે કે ખાસડાં મારે, તેનું ફળ તે ભગવશે. (સૂત્ર ૨૩). પ્રો. એકાબી અને છે. રવજીભાઈ પણ ટીકાકારને અર્થ કણ નથી રાખતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org