SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ કીએ છીએ કે, આચારાંગ, સ્થાનાંગ અતે સમવાયાંગ, તેમજ ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે અન્ય આગમગ્રંથામાં આ ગ્રંથનાં ધણાંખરાં અયનેતા વિષ્ય મળી આવે છે. પેાતાની નિયુક્તિના છેવટના ભાગમાં ભદ્રબાહુ ઋણુાવે છે કે “આર્યં મનકે આ અઘ્યયન (શાસ્ત્ર) છ મહિનામાં શીખી લીધું; અને એ છ મહિના જ દીક્ષિત જીવન ગાળા તે શુભ ધ્યાનપૂર્વક મૃત્યુ પામ્યા. તે વખતે વૃદ્ધ શય્યભવ આનંદાશ્રુ પાડવા લાગ્યા. તે જોઈ તેમના શિષ્ય યશાભદ્રે તેમને તેનું કારણ પૂછ્યું, અને શયંભવે તે કહી સંભળાવ્યું. પછી સંધે તે બાબતમાં વિચાર કર્યાં [અને એ અધ્યયને લુપ્ત ન થવા દેવાં એવા નિર્ણય કર્યાં. (ગાથા ૩૭૦-૧). ભદ્રબાહુએ માત્ર સૂચનરૂપે આપેલી આ માહિતીને વિસ્તાર જાણવા માટે આપણે હરિભદ્રસૂરિએ (ઈ. સ. ૭૦૬થી ૭૭) પોતાની દશવૈકાલિકસૂત્ર ઉપરની ટીકામાં, તેમ ર હેમચંદ્રાચાર્યજીએ (ઈ. સ. ૧૦૮૯-૧૧૭૩) પરિશિષ્ટપર્વમાં આપેલી કથાઓ જોઈ લઈ એ. તે બંને કથાઓમાં વિગતાના ખાસ ફેર નથી; પરંતુ હરિભદ્રસૂરિની કથામાં જ્યાં કેટલુંક સંદિગ્ધ તેમ જ અણુકથ રહી જાય છે, ત્યાં હેમાચાર્યની કથા સ્પષ્ટ વિવરણુ આપે છે. એટલે અહીં તા તે બંને કથાઓ મળીને થતી એક કથા જ આપીશું. આચાર્યપરંપરામાં મહાવીર પછી ક્રમમાં ખીજે નંબરે આચાર્યપદે આવેલા સુધર્મસ્વામી મહાવીરના નિર્વ્યા પછી ૨૦ વર્ષે નિર્વાણુ પામ્યા. તેમની પછી તેમના શિષ્ય ગુસ્વામી આચાર્ય થયા. તે પણ મહાવીર પછી ૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy