________________
સમીસાંજને ઉપદેશ શબ્દપ્રયોગ કરવો. વેપારની ચીજોની બાબતમાં ઠીક ખરીદ્ય', ઠીક વેચ્યું, “ન ખરીદવું, “આ લઈ લો, કે આને રહેવા દે” એમ ન બોલવું. વેપારની લેવડદેવડની ચીજ બાબત બેલવાને પ્રસંગ આવે ત્યારે સસ્તી, મેંઘી, ખરીદવા જેવી, વેચવા જેવી વગેરે વસ્તુઓ બાબત નિર્દોષ વાણું બોલવી. [૪૩૬.
સાધુએ ગૃહસ્થને, બેસો”, “આ”, “કરો”, સૂવા”, ઊભા રહો”, “જાઓ” એમ ન કહેવું. લેકમાં ઘણું અસાધુ પુરુષે સાધુ કહેવાય છે, પરંતુ નિર્ગથે અસાધુને સાધુ ન કહેવા; સાધુને જ સાધુ કહે. એટલે કે, જ્ઞાન અને શ્રદ્ધાયુક્ત તથા સંયમ અને તપમાં પરાયણ એવા પ્રયત્નશીલ પુરુષને જ સાધુ કહે. [૪૭-૯] - દેવ, મનુષ્ય કે પશુપક્ષીની લડાઈમાં અમુકને જય થાઓ”, “અમુકને ન થાઓ', એવું ન બોલવું. પવન, વૃષ્ટિ, ઠંડી ગરમી, ક્ષેમ, સુકાળ, અને નિર્વિતતા એ બધાં ક્યારે થશે, કે “ન થાઓ' એમ ન બોલવું. મેઘ, આકાશ કે મનુષ્યની બાબતમાં દેવ’ શબ્દ ન વાપરો. વાદળ ચડી આવ્યું હોય તો “ઇંદ્રદેવ આવ્યા” એમ ન કહેવું; પરંતુ વાદળ
૧. જેમ કે, “અમને સાધુને આ બાબતમાં બેસવાનો અધિકાર નથી’ એમ કહેવું -- હરિ૦. અથવા તે અતિશયોક્તિ વગેરે ન થાય તે રીતે બોલવું.
અને હવે
પછી
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org