SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રમાણે ભિક્ષા માગવા આવેલા તે મુનિએ પાસેથી ઉપરનું વાકય સાંભળી શય્યભવને પોતે અત્યાર સુધી આચરેલા જીવનમાર્ગ વિશે શંકા ઊભી થઈ. તેથી તેણે પેાતાના ઉપાધ્યાયને તે બાબત પૂછ્યું. તેણે પ્રથમ તા “સ્વર્ગ અને મેાક્ષ અપાવનારા વેદે જ તત્ત્વરૂપ છે” એમ જવાબ આપ્યા. પરંતુ પછી શષ્મભવે વધુ દબાણુ કરતાં તેણે યજ્ઞમંડપમાં સ્તંભ નીચે ગુપ્ત રાખેલી જિનપ્રતિમા બતાવી અને જશુાવ્યું કે, આ અર્હતભગવાને ઉપદેશેલા ધર્મ જ તત્ત્વરૂપ છે એમ હું માનું છું; બાકી આ બધી યજ્ઞક્રિયાએ તે। વિડંબનામાત્ર છે.’૧૯ અતભગવાનની ૧. મૂળ કથાને આ ભાગ સમાતા નથી. હરિભદ્રસૂરની કથામાં એ ભાગ આ પ્રમાણે છે: “ જ્ઞસ્તંભની નીચે અેતભગવાનની સર્વરત્નમયી પ્રતિમા છે. તે ધ્રુવ છે. માટે મહેતભગવાનને ધર્મ તત્ત્વરૂપ છે.” હેમાચાર્યે આ ભાગને પ્રમાણે વિસ્તાર્યું છે આ ચન્નસ્તંભની નીચે હું તભગવાનની પ્રતિમા સ્થાપેલી છે. તેને એમ નીચે ગુપ્ત રીતે રાખીને પૂજવામાં આવે છે; અને તેના પ્રભાવથી જ માપણું ના ચજ્ઞાદિ કર્મ નિર્વિધ્ન થાય છે. કારણ કે જે યજ્ઞમાં તેવી પ્રતિમા રાખવામાં નથી આવતી, તે ચન્નની, મહાતપસ્વી, સિદ્ધપુત્ર અને પરમઅહ‘ત એવા તારક વિધ્વંસ કરી નાખે છે.” આ જવામથી શું સૂચવાય છે તે સમજી શકાતું નથી. ચજ્ઞામાં સ્તંભ નીચે મહાવીરની પ્રતિમા રાખવામાં આવતી હતી તેના બ્રાહ્મણગ્રંથામાં તા કથાંચ ઉલ્લેખ મળતા નથી. સતપથ બ્રાહ્મણ, કાત્યાયન, શ્રૌતસૂત્ર આદિ ગ્રંથામાં જણાવ્યા પ્રમાણે ચજ્ઞક્રિયાની શરૂઆતમાં મહાવીર' નામનું પાત્ર વિશિષ્ટ વિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy