________________
દેવદત્તાની કથા જૂના કાળમાં રેહતક નામે નગર હતું. તેમાં વૈશ્રમણુદત નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રી નામની રાણું હતી તથા પુષ્યનંદિ નામે યુવરાજ હતું. તે જ નગરમાં દત્ત નામે ગૃહસ્થ રહેતો હતો. તે ઘણો જ ધનવાન હતા. તેને કૃષ્ણશ્રી નામે પત્ની તથા દેવદત્તા નામે પુત્રી હતાં.
એક વખત મહાવીરસ્વામી ફરતા ફરતા તે નગરમાં આવી પહોંચ્યા. ભિક્ષાકાળે તેમના પટ્ટશિષ્ય ગૌતમ તે નગરમાં ભિક્ષા માટે ફરતા હતા, તેવામાં તેમણે લોકોનું એક મેટું ટોળું જોયું. તે ટોળામાં તેમણે મુશ્કેટોટ બાંધેલી એક સ્ત્રી જોઈ તેનાં કાન-નાક કાપી નાખેલાં હતાં, તથા તેને શૂળીએ ચડાવવામાં આવતી હતી. તે જોઈ ગૌતમ સ્વામીને વિચાર આવ્યું કે, આ સ્ત્રીએ એવાં તે શાં પાપકર્મ કર્યા હશે, જેથી તેની આ દશા થઈ છે. ઉતારે પાછા આવી, મહાવીરસ્વામીને તે વિષે પૂછતાં તેમણે તે સ્ત્રીની નીચે મુજબ. કથા કહી સંભળાવી.
હે ગૌતમ! પૂર્વે અહીં ભારતવર્ષમાં જ સુપ્રતિષ્ઠ નામે નગર હતું. તેમાં મહાસેન નામે રાજા રાજ્ય કરતો હતા. તે રાજાને હજાર રાણીઓ હતી. તેમાં ધારિણું. પટ્ટરાણ હતી. તે ધારિણીને સિંહસેન નામે કુમાર હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org