SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પા૫, પુણ્ય અને સંયમ પરંતુ દહીં – દૂધ વગેરે રસ વિનાનું જ ભોજન કરવાનું. પછી એ જ ક્રમે આખું તપ ત્રીજી વાર કરવાનું; પરંતુ: દરેક ઉપવાસને પારણે વાસણ પણ ન ખરડાય એવી રસહીને વસ્તુઓ ( અપકૃત) ખાવાની. પછી એ જ ક્રમે આખું તપ ચોથી વાર કરવાનું. પરંતુ દરેક ઉપવાસને પારણે આયંબિલ કરવાનું. આયંબિલ એટલે કે થી આદિ વિનાના નર્યા બાફેલા ભાત, દાળ વગેરે પદાર્થો ખાવા તે. આ પ્રમાણે કાલી આર્યાએ આખું રત્નાવલી તપ પાંચ વર્ષ, બે માસ, અને અઠ્ઠાવીસ દિવસમાં થઈને યથાવિધિ પૂરું કર્યું. ત્યાર બાદ આર્યચંદના આર્યા પાસે જઈ તેમને વંદન-નમસ્કાર કર્યા. ત્યાર બાદ તે ચાર ટંક, છ ટંક વગેરે સામાન્ય ઉપવાસરૂપી વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતી રહેવા લાગી. આ બધાં મોટાં તપો વડે તેમનું શરીર બહુ કૃશ થઈ ગયું. તેમના શરીર ઉપર નય નાડીઓનાં જાળાં દેખાવા લાગ્યાં. એ પ્રમાણે શરીરને બહુ જ નબળું પડી ગયેલું જોતાં તેમણે મારણાંતિક સંખનાદ્રત દ્વારા અન્ન-પાનને સદંતર ત્યાગ કરી, એક મહિનાને અંતે પ્રાણત્યાગ કર્યો; અને જે વસ્તુ માટે આ બધી કઠોર તપશ્ચર્યા આદરી હતી, તે વસ્તુ છેવટને શ્વાસ વખતે પ્રાપ્ત કરી. તેમને સાધવીપણનો કુલ સમય આઠ વર્ષનો હતે. ૧. મૂળમાં તેમને માટે વિકૃતિ શબ્દ છે. અર્થાત્ એવા પદાર્થો જે બહુ વાર રહે તો વિકૃતિ પામે છે. જોકે “વિકૃતિકારક રસો" એવો અર્થ પણ લેવાય. વિકૃતિમાં મહાવિકૃતિ ગણાતાં મધ, દૂધ, માખણ અને નશાબાજ પીણાંને તથા દૂધ, ઘી, તેલ, ગોળની સબ અને મીઠાઈનો પણ સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy