________________
પ્રાચીન શીલકથાઓ બુદ્ધ કહ્યું: “પરંતુ તારે આ નમસ્કારવિધિ આર્યોની ‘પદ્ધતિ પ્રમાણે નથી.”
સિગાલે કહ્યું: “તે, હે ભગવંત! આપ મને આર્યોની પદ્ધતિ પ્રમાણેને વિધિ શીખવે.”
બુદ્ધ બેલ્યાઃ “હે ગૃહપતિપુત્ર, માબાપ એ પૂર્વ દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગે છેઃ ૧. તેમનું કામ કરવું ૨. તેમનું પિષણ કરવું; ૩. કુળમાં ચાલ્યાં આવેલાં સત્કાર્યો ચાલુ રાખવાં; ૪. તેમની સંપત્તિના વારસ બનવું; અને ૫. તેઓ મરણ પામે ત્યારે તેમને નામે દાન કરવું.
માબાપને જે આ પાંચ અંગ વડે પૂજવામાં આવે, તે તેઓ બાળકને – ૧. પાપ કરતાં વારે છે; ૨. તેને સુમાગે ચઢાવે છે; ૩. તેને કળાકૌશલ્ય શીખવે છે; ૪. યેગ્ય સ્ત્રી સાથે તેનું લગ્ન કરી આપે છે; અને ૫. યોગ્ય વેળાએ પોતાની મિલકત તેને સ્વાધીન કરે છે.
હે ગૃહપતિપુત્ર, ગુરુ એ દક્ષિણ દિશા છે. તેની પૂજાના આ પાંચ વિધિ છેઃ ૧. તે આવે ત્યારે ઊઠીને ઊભા થવું ૨. તે માંદા થાય ત્યારે તેમની સેવાચાકરી કરવી, ૩. તે જે શિખામણ આપે તે શ્રદ્ધાપૂર્વક સમજી લેવી, ૪. તેમનું જે કંઈ કામ હોય તે કર્યું અને પ. તે જે વિદ્યા આપે તે ઉત્તમ રીતે ગ્રહણ કરવી.
ગુરુને જે આ પાંચ પ્રકારે પૂજવામાં આવે, તે તે – ૧. શિષ્યને સદાચાર શીખવે છે; ૨. ઉત્તમ રીતે વિદ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org