________________
૧૬
પ્રાચીન શીલકથાઓ પાસેથી કંઈ મળશે એ આશાએ તે મારા નગરને રસ્તા પૂછતે જતા હતા, તેવામાં મને વચ્ચે મળે. તેને હું નિરાશ કરવા નથી માગતે માટે લે મારું માથું, અને તેને ઈનામની રકમ ગણી આપે.”
આ સાંભળી સભાસદો ચેકી ઊઠયા. આ દરબાર સ્તબ્ધ થઈ ગયો. બારણા પાસે ઊભેલા બખતરધારી દ્વારપાળની આંખે આંસુથી ભરાઈ ગઈ. કાશીરાજ પણ ક્ષણભર તે ચૂપ થઈ ગયું. પછી તે બોલ્યો, “હે રાજકેદી ! પિતાનું માથું આપીને મારા ઉપર વિજય મેળવવાને પંતરે તું ઠીક બેઠવી લાવ્યું છે! પણ તારી એ આશા નિષ્ફળ જવાની છે; કેમ કે આજની આ લડાઈમાં પણ હું જ જીતીશ.”
આમ કહી, તેણે કેશલરાજને રાજા તરીકે સંબધીને કહ્યું, “હે કેશલરાજ ! તમારું રાજ્ય હું તમને પાછું આપું છું, અને સાથે મારું હૃદય પણ. હવે આ ગાદીએ બેસી તમારા જ રાજ્યભંડારમાંથી આ વણિકને જોઈએ તેટલું ધન ગણી આપે.”
એમ કહી એ ચીંથરેહાલ વનવાસીને રાજાએ રાજ્યાસને બેસાર્યો, અને ઝાંખરાં જેવા તેના વાળ ઉપર રાજમુગટ પહેરાવી દીધે. નગરજને એકી અવાજે પિકારી ઊડ્યાઃ “ધન્ય”! ધન્ય...!
[ ટાગોરકૃત “કથા ઓ કાહિતી” ઉપરથી ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org