SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ તપસ્યા અને નિગ્રહ જીવતો રહ્યો એ જ તેનું ભાગ્ય! મારું નામ ઝોઝિમસ છે; અને આ બધા સાધુઓનો હું મહંત છું. તો સ્તંભ ઉપરથી તમને દેવદૂતો મારફત ઉપાડાવી પરમાત્માએ આ દરમ્યાન તમારી મારફત જે જે ચમત્કારી નૃત્યો કરાવ્યાં હોય, તેની કથા તો અમને કહો!” પૅનુશિયસે જવાબમાં એટલું જ કહ્યું, “ભાઈ, તું માને છે તેમ પરમાત્માએ મારા ઉપર કશી કૃપા નથી વરસાવી; ઊલટું તેમણે તો મને ભયંકર પ્રલોભનોના ઘમસાણમાં નાખ્યો છે.” ઝોઝિમસે જવાબ આવ્યો—– “પવિત્ર પિતાજી! આપણે યાદ રાખવું જોઈએ કે, મોટામાં મોટા સંતો અને તપસ્વીઓને સૌથી આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. એટલે, પરમાત્માએ દેવદૂતો મારફતે તમને સ્વર્ગમાં પોતાની પાસે ભલે તેડી ન લીધા હોય; પરંતુ પરમાત્માએ એ રીતનું દર્શન તમારા પટ્ટશિષ્ય લેવિયન, બીજા સાધુઓ તથા કેટલાય લોકોને કરાવ્યું જ છે; એટલે ખરેખર તમે એ કૃપાના અધિકારી બની ચૂકયા જ છો.” પછી પૅશિયસે પણ સંત ઍન્થનીનાં દર્શને જઈ તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો નિરધાર કર્યો. એટલે તે ઝોઝિમસ સાથે એ સાધુમંડળીની આગળ ચાલવા લાગ્યો. સાધુમંડળી સ્તોત્રો ગાતી, એ બે સેનાનીઓને અનુસરવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy