SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ તપસ્યા અને નિગ્રહ r શરીર ભલે કામનાને અધીન થાય; પણ આત્મા શરીરથી અલિપ્ત જ રહે છે.” ' ૧૦૨ ચાલ્યા જાઓ! મને તો શરીરથી જ નહીં, આત્માથી પ્રેમ કરનાર જોઈએ છે! તમે બધ! ફિલસૂફો ઘરડા બકરાઓ છો.’ ૩ એક પછી એક દીવા બુઝાતા ગયા; અને છેવટે પ્રાત:કાળનો કુમળો પ્રકાશ પડદાઓ વચ્ચેની ખાલી જગાઓમાંથી અંદર આવવા લાગ્યો. અંદર કેટલાય ફિલસૂફો દારૂના ઘેનમાં સ્રીઓ ભેગા દોદશ ફાવે તેમ પડેલા હતા, યુક્રાઇટિસ ઊઠીને નિસિયાસને ખભે હાથ મૂકી જરા દૂરને છેડે બોલાવી ગયો. પછી જરા હસીને નિસિયાસને તેણે કહ્યું - “જો હજુ શું વિચાર કરી શકતો હોય, તો મને કહે કે, તું અત્યારે શું વિચારી રહ્યો છે?” “ મને એમ વિચાર આવે છે કે, સ્ત્રીનો પ્રેમ કૂંડામાં ખોસેલી ફૂલની ડાળખી જેવો છે.” “એટલે?” એટલે કે, તે થોડો વખત તાજો રહે, અને પછી કરમાવા t લાગે.” << તો પછી, એવી અસ્થિર વસ્તુને અગત્ય આપવી, એ મૂર્ખતા છે, એમ જ તારે કહેવું છે ને?” 64 ના રે ના; સ્રીનું સૌન્દર્ય જો પડછાયા જેવું અસ્થિર છે, તો આપણી ઇચ્છા પણ વીજળીના ચમકારા જેવી છે: એટલે ચમકારાએ પડછાયાને ખાઈ જવો, એ જ ઉચિત કે કુદરતી ગણાય !” “નિસિયાસ, મને તારી નાદાની ઉપર દયા આવે છે; વાસનાઓથી મુક્ત થા ! મુક્ત થઈને જ તું સાચો મનુષ્યે બની શકીશ. પણ જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી, તમે કહો છો તે અર્થમાં માણસ મુક્ત શી રીતે બની શકે?” >> 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy