________________
શ્વાસ ગુંગળાયો, ભારે મૂંઝવણ થવા લાગી. ભાઈ હેરાન હેરાન થઈ ગયા. આ નવી ઉપાધિ થવાથી ડોકટર પ્રત્યે નફરત જાગી. થોડીવાર પછી સ્વસ્થતા આવી. ડોકટરને વાત કહી. ડેકટર કહેઃ ભલા માણસ, ફેટ સોલ્ટ આમ લેવાય? કોઈ પણ દવા કેમ લેવી એની રીત – વિધિ પહેલા જાણી લેવી જોઈએ ને? પછી ડોકટરે રીત બતાવી એ મુજબ લેવા માંડ્યું. થોડા સમયમાં ગેસની અસર નાબૂદ થઈ. જોયું ને કે સહજ અવિધિનું કેવું પરિણામ આવ્યું ? તે પછી અનંત જ્ઞાનીઓએ બતાવેલું ધર્મ મહા ઔષધ સેવવામાં સહેજ પણ ગરબડ થાય તે શું પરિણામ આવે તે સમજી શકાય તે માટે જ વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન આરાધવાને આગ્રહ રાખે ! શ્રી જિનેટવર પરમાત્માની આજ્ઞા વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાની છે એ કદી ન ભૂલે! એ રીતે પ્રત્યેક અનુષ્ઠાનને અમૃત અનુષ્ઠાન બનાવે.
મુનિ મિત્રાનંદ વિજય
www
વિષય દર્શન ૧. ધર્મજાગરિકા :
જૈન કઈ વિધિથી જાગે ? ...૧ ૨. પ્રભુદર્શન વિધિ અને રહસ્ય...૭
૩. પૂજાવિધિ અને રહસ્ય ...૨૯ nenean nenenea ael
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org