________________
પરિશિષ્ટ-૨
સૂત્રપાઠ
સમાધિપાદ [દરેક સૂત્રને અર્થને અતિ, તેનું વિવરણ પુરતમાં કરો માને છે, તે બતાવતી સંખ્યા કૌસમાં દર્શાવી છે.] १. अथ योगानुशासनम् ।
હવે (પરંપરા અનુસાર) યોગનું શાસ્ત્ર આરંભવામાં આવે છે. (પૃ. ૧૫) ૨. ફોનઃ ઉત્તરવૃત્તિનિરોધઃ |
યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ. (પૃ. ૮) ३. तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् ।
ત્યારે દ્રષ્ટા-જીવાત્મા (પિતાના મૂળ શુદ્ધ) સ્વરૂપમાં સ્થિતિ પામે છે. (પૃ. ૨૬) , ૪. વૃત્તિસાહનતરત્ર
બાકીને પ્રસંગે (તે જુદી જુદી) વૃત્તિઓના સ્વરૂપને પામેલો હોય છે (–
તેમાં તદાકાર હોય છે). (પૃ. ૨૬) ५. वृत्तयः पञ्चतय्यः क्लिष्टाक्लिष्टाः । આ ફ્લેશકારી કે અલેશકારી એવી વૃત્તિઓ પાંચ પ્રકારની છે. (પૃ. ૩૧)
સૂત્રપાઠ
૨૦૯ ६. प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः ।
પ્રમાણ, વિપર્યય, વિકલ૫, નિદ્રા અને સ્મૃતિ –એ પ્રમાણે. (પૃ. ૩૧) ७. प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ।
પ્રત્યક્ષ, અનુમાન, અને આગમ – એ ત્રણ પ્રમાણ (-વૃત્તિના પ્રકારો) છે. (પૃ. ૩૫) ८. विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम् ।
વિપર્યય (વૃત્તિ) વસ્તુના રૂપમાં સ્થિત નહીં એવું મિથ્યાજ્ઞાન છે. (પૃ. ૩૭). ९. शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ।
વિકલ્પ (વૃત્તિ) વસ્તુના પાયા વિના (માત્ર) શબ્દ
જ્ઞાનથી ઊભી થાય છે. (પૃ. ૩૮) १०. अभावप्रत्ययालम्बना वृत्तिनिद्रा । | (વૃત્તિના) અભાવના જ્ઞાનને અવલંબતી વૃત્તિ નિદ્રા
છે. (પૃ. ૩૯) ११. अनुभूतविषयासंप्रमोषः स्मृतिः ।
અનુભવેલા વિષયનું બરાબર (કાંઈ પણ રહી ગયા વિના) યાદ થવું તે સ્મૃતિ. (પૃ. ૪૦) १२. अभ्यासवैराग्याभ्यां तन्निरोधः ।
અભ્યાસ અને વૈરાગ્ય વડે તે (વૃત્તિઓ)નો નિરોધ થઈ શકે છે. (પૃ. ૫૫)
૨૦૮
Jain Education Internation
For Private & Personale Only
www Bielinary