SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ८७० આખાદ હિંદુસ્તાન ! છેલ્લાં વીસ વર્ષમાં તેવા ભાવ વિચત જ હતા) એકર દીઠ સરેરાશ પેદાશ ૫૦૦ રતલ થઈ. છતાં વાઇસરોય સાહેબે તે જ વર્ષની સરેરાશ ૭૩૦ રતલ મૂકી છે. પર ટૂંકામાં, સરકારી આંકડા જરાય સાચા હોતા નથી. સરકાર કદી તે આંકડા મેળવવાના જ પ્રયત્ન કરતી નથી. કારણ કે, તેની તેમ કરવાની મરજી નથી. બાકી, હિંદુસ્તાન દેશમાં ચાક્કસ આંકડા મેળવવાની જેટલી સગવડ છે, તેટલી દુનિયાના કાઈ દેશમાં નથી. કારણ કે, દૂરના ગામડાને છેડે એક ગાય પણ સરકારની જાણ બહાર વિયાઈ શકતી નથી. તેના વાછરડાને જન્મ તરત સરકારી દફતરમાં નોંધાઈ ગયા હાય છે. કર ઉઘરાવવાની જાળ પણ સરકારે એવી ચેાકસાઈથી પાથરેલી છે કે, દરિયા કિનારે કે સરહદ એક મણ અનાજ પણ સરકારની જાણ બહાર આવી કે જઈ શકતું નથી. આખા દેશમાં એકરના દસમા ભાગ જેટલા ટુકડામાં પણ શું વાવવામાં આવ્યું છે, તે પણ વાઈસરોય સાહેબના અમલદારાએ કાળજીથી તેાંધી લીધેલું હોય છે. તે પછી સરકાર ખેતીની આવકના અને પેદાશના ચેાક્કસ અને સાચા આંકડા કેમ ભેગા કરીને બહાર પાડતી નથી ? તેનું કારણ ઉપર જણાવ્યું તે જ છે કે, તેને તેમ કરવાની મરજી નથી. કારણ કે, તે બરાબર જાણે છે કે તેવા આંકડા જો તૈયાર કરવામાં આવે, તે ખેડૂતાની સ્થિતિ એટલી બધી નબળી સિદ્ધ થાય કે તેમની પાસેથી એક પાઈ પણ મહેસૂલ લેવું એ શરમભર્યું બની જાય. તે હિંદુસ્તાનના ખેડૂતાની ખરી સ્થિતિ જાણવાનું કશું જ સાધન આપણી પાસે નથી ? વાઇસરૉય સાહેબ કહે Jain Education International વાઇસરૉય સાહેબ વદ્યા ૧૭૧ છે તેમ તેમની આવક વધી છે કે ઘટી છે, તથા તે ખરે જ સુખશાંતિમાં છે કે નહિ, તેની ખાતરી શી રીતે કરવી ? "કે પછી આપણે હુંમેશાં સરકારે ધૃષ્ટતાથી રજૂ કરેલા જૂઠ્ઠા આંકડાએ આગળ મૂંગા બની એસી રહેવું ? આ પુસ્તકના વિષય એટલે અગત્યના અને ગભીર છે કે, વાચક ક’ટાળી જાય કે ન કંટાળી જાય તેની દરકાર રાખ્યા વિના, તેની સહૃદયતા. ઉપર વિશ્વાસ રાખીને જ લેખક સંયુક્ત પ્રાંતામાંથી કેટલાંક ખેડૂતકુટુંખે, તેમની જમીન. તેમની આવક, તેમનું દેવું અને તેમની સ્થિતિના વિગતવાર દાખલા સરકારી અમલદારાના જ રિપોર્ટોમાંથી આખા ને આખા અહીં ઉતારવાના પ્રયત્ન કરશે. તે જોઈ ને વાચક પેાતે જ, ખેડૂતની “ વધેલી ’” આવક અને “ સુખી ’ સ્થિતિ વિષે ચાક્કસ ખ્યાલ આંધી શકશે. સંયુક્ત પ્રાંતા ઈ. સ. ૧૮૮૮માં સરકારે આ પ્રાંતેાના “ ખેડૂત તેમજ મજૂર વર્ગની આર્થિક સ્થિતિની તપાસ' કરાવી હતી. સંયુક્ત પ્રાંતાની જમીન ઘણી જ ફળદ્રુપ ગણાય છે. એટલે ત્યાંના ખેડૂતની સ્થિતિની વિગતા હું તે રિપોટ માંથી આપીશ, તેા વાચક સહેલાઈથી દેશના બીજા ભાગાના ખેડૂતાની સ્થિતિને ખ્યાલ કરી શકશે. આ રિપોર્ટ પ સરકારે “ ખાનગી ” તરીકે નોંધીને દબાવી રાખ્યા છે. * મૂળમાં તે વખતનું ‘વાયવ્ય સરહદના પ્રાંતા અને અાધ્યા' નામ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy