SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ આબાદ હિંદુસ્તાન! મેં વારંવાર આ અગત્યની વાત સરકારના ધ્યાન ઉપર ફરી ફરી આણ્યા કરી છે કે, બધાય ખેડૂતે હવે દર વર્ષે દેવામાં વધુ ને વધુ દબાતા જાય છે અને તેમનાં ખેતરો વધુ ને વધુ સંખ્યામાં શાહુકારના હાથમાં જતાં જાય છે. મેં તપાસેલાં ગામડાંમાંથી ૧૨૬ ગામડાંના અર્ધા ઉપરાંત ખેડૂતે કઈ પણ રીતે બચાવી ન શકાય તેટલા પાયમાલ થઈ ગયા છે. છતાં, હજુ પણ સરકાર ચેતે તે બાકીનાએાને બચાવી શકાય તેમ છે. બધા જ ખેડૂતે ધીમેધીમે રશિયાના “અધીકે ”ની સ્થિતિએ પહેંચતા જાય છે, એ જાણવા છતાં સરકાર કશું જ કરવા માગતી નથી શું? રશિયાના “અધીકે ”ને તે તેમની પાયમાલી અને અધોગતિમાં પણ એક આશ્વાસન છે કે, તેમના લેણદારો અને રાજકર્તાએ બધા રશિયન જ છે. પરંતુ હિંદુસ્તાનમાં તે મૂડીભર પરદેશી અંગ્રેજોનું રાજ્ય છે અને તેમને કારણે દેશના ખેડૂતવર્ગ અડધા પંજાબમાં ધર્મથી પણ જુદા એવા લેણદારોના પંજામાં સપડાઈને પાયમાલ થતો જાય છે.” ‘હિંદુસ્તાનમાં ગરીબાઈ છે જ નહિ” ૧૩૩ બાજુ બૂમો પાડી રહ્યા હતા કે, હિંદુસ્તાન કંગાળ બનતું જાય છે. એટલે તેણે ૧૮૮૭માં આ બધા આક્ષે ખરા છે કે ખોટા છે, તથા જે તે ખરા હોય તે શાં પગલાં લેવાં જરૂરી છે, એ નકકી કરવા, ખાસ ચૂંટી કાઢેલા, અનુભવી અમલદારોની એક તપાસસમિતિ નીમી. ૧૫ માસ પછી, તે તપાસનાં પરિણામે જાણી લીધા બાદ, તથા લેર્ડ ડફરીનને - હિંદુસ્તાન છોડી જવાને બે મહિનાની વાર હતી ત્યારે. ૧૮૮૮ ના કટોબરમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યું. તે ઠરાવમાં, લોકોને દુ:જ નથી એમ તે કહેવામાં ન જ આવ્યું; પણ એટલું તે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે, “લોકેાની કહેવાતી ખરાબ સ્થિતિ વિષે નકામો ભય રાખવાનું જરા પણ કારણ નથી.” તે તપાસસમિતિના રિપોર્ટે પ્રસિદ્ધ ન જ કરવામાં આવ્યા. માત્ર દરેક જિલ્લાના, વિભાગના કે પ્રાંતના અધિકારીઓએ પોતે જ ભેગી કરેલી વિગતે અને કરેલી તપાસ ઉપરથી, જે તારવણી કે સંક્ષેપ તૈયાર કરી આપ્યો હતા, તે જ બહાર પાડવામાં આવ્યો. પેલા મૂળ રિપોર્ટોને તે “ખાનગી ” તરીકે નોંધીને દબાવી દેવામાં આવ્યા. પરંતુ મિ. બ્રેડલેએ પાર્લમેંટમાં તે રિપેર્ટોને પણ પ્રસિદ્ધ કરવાની ભારપૂર્વક માગણી કરવાથી, હિંદી વજીરે આમની સભાના ટેબલ ઉપર તેમાંના કેટલાક ભાગ મૂક્યા. (જેમ કે મદ્રાસને ભાગ નથી મૂક્યો . તે રિપોર્ટમાંથી હું સંખ્યાબંધ ઉતારાઓ આપવાને છું. સાથે સાથે હિંદી સરકારે તેની અને દુનિયાની જાણ માટે ઉપર જણાવેલી જે ‘તારવણી’ પ્રસિદ્ધ કરી છે, તેમાંને સંયુક્ત પ્રાંતે લેડ ડફરીનને જ્યારે નોકરી પૂરી થવાને વખત આવ્યા, ત્યારે પિતાના અમલ દરમ્યાન લોકેની શી વલે થઈ છે, તે જાણવાની દિલમાં ખટક થવા લાગી. વિલિયમ હંટરે લખ્યું હતું કે, દેશમાં ૪ કરોડ માણસે હંમેશાં અડધાં ભૂખ્યાં રહે છે. સર ચાર્લ્સ ઇલિયટે લખ્યું હતું કે, “ખેડૂતની અડધોઅડધ વસ્તી, પેટભરીને ખાવું એ શું છે તે વસ્તુ જ જાણતી નથી.” તેમજ કોંગ્રેસવાળા પણ ચારે For Private & Personal use only www. nary
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy