SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આબાદ હિદુસ્તાન ! ૨૨ કરોડ માણસે છે પણ તેઓ ઇંગ્લંડના ૪ કરોડ 'માણસે જે ઇન્કમટેકસ ભરી શકે છે તેને દશમે ભાગ પણ ભરી શકતાં નથી. આટલા ઉપરથી જ હિંદુસ્તાનની ગરીબાઈને પૂરેપૂરો ખ્યાલ આવી શકશે.” * પરંતુ ઈન્કમટેકસ તરીકે જે થોડી રકમ મળે છે તે કારણે કોઈને ગુસ્સો ચડવાની જરૂર નથી. પરંતુ તેટલે થોડો કર ઉઘરાવવામાંય “ આખી મનુષ્યજાતિના ઇતિહાસમાં કદી નહિ જાણવામાં આવેલી એવી - પ્રજાના હિતનાં ભલામાં ભલાં કર્યા કરનારી” સરકારને શું શું કરવું પડે છે, તે ધ્યાનમાં રાખવાની જરૂર છે : દામોદર કહાલી નામના એક માણસને ગયે વર્ષે જણાવવામાં આવ્યું કે તેને ૧૮ રૂપિયાને ઇન્કમટેકસ ભરવો પડશે. તેને તે એ ખબર જાણી માથે વીજળી તૂટી પડ્યા જેવું થયું. તેટલી રકમ ભેગી કરવી એ તેના ગજા ઉપરાંતની વાત હતી. તેથી તેણે તે રીતની અરજી સરકારને કરી. તે અરજીનું પરિણામ એ આવ્યું કે, ઈન્કમટેકસ ભરતાં વાર કરવાને કારણે તેને દંડ તરીકે ૭ રૂપિયા વધારે ભરવાના થયા. પરંતુ તેનાથી તે તે દંડ કે પેલી મૂળ રકમ – કાંઈ ભરી શકાય તેમ હતું જ નહિ, એટલે તેને ઘેર જપ્તી આણવામાં આવી; પરંતુ ત્યાંથી કાંઈ લઈ જવા જેવું સરકારને મળ્યું નહિ. એટલે તેની દુકાન ઉપર ધાડ કડવી ફરજ લઈ જવામાં આવી અને તેમાંથી જે કાંઈ મળ્યું તે બધું લઈ જઈને હરાજી કરી વેચી નાંખવામાં આવ્યું. તે તેમાંથી લગભગ ૨ રૂપિયા જેટલી રકમ ઉપજી. પછી તે માણસનું ‘ઘર’ હરાજી કરવામાં આવ્યું. તેના ૬૫ રૂપિયા ઉપન્યા. તેમાંથી ૨૮ રૂપિયા ઈન્કમટેકસના અને ૭ રૂપિયા દંડના એમ ૭૫ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા અને બાકીની રકમ બીજા વર્ષના ટેકસ પેટે જમે રાખી મૂકવામાં આવી. કલ્પના કરો કે એક માણસ, કે જેની દુકાનની તમામ માલમતા બે રૂપરડીની હોય અને જેનું ધર ૬૫ રૂપિયાની કિંમતનું હોય તેને ઇન્કમટેકસ તરીકે ૨૦ રૂપિયા – એટલે કે તેની આવકને નહિ પણ તેની તમામ માલમિલકતને અર્થોઅર્ધ ભાગ ઈન્કમટેકસ તરીકે ભરવાનો હોમ ! ”૧ અને ઘરબાર અને આખી દુકાન હરાજ થઈ ગયા છતાં તે જ ભાણુના બીજા વર્ષના ઇન્કમટૅકસ પેટે ૨૭ રૂપિયા જમે રાખી મૂકવામાં આવતા હોય ! હિંદુસ્તાનના મારા સત્તાધારી અંગ્રેજ દેશબંધુઓ નીચેની વસ્તુસ્થિતિમાંથી પણ કશો જ બોધ લેવા માગતા નથી કે, અંગ્રેજો આવ્યા પહેલાં ૧૭૫ ની સાલ સુધીનાં ૧૭૪૫ વર્ષમાં ૧૮ સ્થાનિક દુકાળ જ નૈોંધવામાં આવ્યા છે. જ્યારે, અંગ્રેજો આવ્યા પછી ૧૭૪૫ થી ૧૯૦૦ સુધીનાં ૧૩૨ વર્ષમાં દેશવ્યાપી ૩૬ દુકાળ નાંધાયા છે. એ જ વસ્તુ બીજી રીતે કહીએ તે, ૧૭૯૭ થી ૧૯૦૦ સુધીનાં ૧૦૭ • ૧૯૩૩-૪માં પણ હિંદમાં ૬૫ ટકા લોકેની વાર્ષિક આવક . ૫૦ થી વધારે નથી. સરકારી આવકવેરો ભરતા લોકોની સંખ્યા માત્ર ૨૫ ટકા છે. ૧. ટીબ્યુનઃ લાહોર; ૨૩ જુલાઈ ૧૯૦૧ in Education in For Private Personal use only
SR No.004989
Book TitleAbad Hindusthan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1937
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy