SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ છ (૯) નવતત્વ : હડી તથા સરોવરનું દેહાંત. સમસ્ત વિશ્વમાં જાણવા યોગ્ય તત્ત્વ નવ છે. તેમાં ચેતન દ્રવ્ય જ્ઞાનગુણ પ્રધાન છે. સમુદ્રમાં નાવડીની જેમ સંસારમાં તેની સ્થિતિ છે. જડદ્રવ્ય, પુદ્ગલ કર્મ વગેરે અજીવતત્ત્વ પાણીના સ્થાને છે. જેની સાથે સશરીરી જીવ હોડી સાથે સમુદ્રના પાણીની જેમ ગાઢ રીતે સંકળાયેલો છે. સંસારમાં જીવને અનુકૂળતા આપનાર પુણ્યતત્ત્વ છે. જેમકે સમુદ્રમાં હોડી પણ અનુકુળ પવનમાં સડસડાટ ચાલે છે. જીવને પ્રતિકૂળતા આપનાર પાપતત્ત્વ છે, જેમકે સમુદ્રમાં પ્રતિકૂળ પવન હોડીને ડામાડોળ કરી દે છે. જેમ હોડીમાં પડેલાં કાણામાંથી બાહ્ય પાણી પ્રવેશ કરીને હોડીને ડૂબાડે છે તે રીતે જીવરૂપી હોડીમાં દોષરૂપી છિદ્રો દ્વારા બાહ્ય કર્મપુદ્ગલ પ્રવેશ કરીને જીવને સંસારમાં ડૂબાડે છે, આ દોષરૂપી છિદ્રોને આશ્રવતત્ત્વ કહેવાય છે. દોષ:- મિથ્યાત્વઅવિરતિ-કષાય યોગ છે. જેમ હોડીના કાણાનું સંવરણ કરવાથી (ઢાંકી દેવાથી) બાહ્ય જલનો પ્રવેશ બંધ થાય છે. તેજ રીતે જીવરૂપી હોડીના દોષરૂપી છિદ્રોને સંયમ (વિરતિ) વગેરે ગુણોના ઢાંકણાથી ઢાંકી દેવાથી કર્મપુદ્ગલનો પ્રવેશ રુંધાઈ જાય છે. આ સંયમ-વિરતિના ગુણો એ સંવર નામનું છઠું તત્ત્વ છે. જેમ સદા પાણીમાં રહેવાથી હોડીના લાકડાનાં પ્રત્યેક છિદ્રમાં પાણી ભરાઈ જાય છે જે જલ્દી સુકાતું નથી. તેજ રીતે જડકર્મ-કાશ્મણ પુદ્ગલો આત્માના પ્રદેશ પ્રદેશ દૂધ+પાણીની જેમ એકમેક બને છે તેને બંધ નામનું સાતમું તત્ત્વ કહે છે. હોડીના કાણાં બંધ કર્યા પછી પણ હોડીને ડૂબતી બચાવીને કિનારે લઈ જવા માટે અંદર ભરાઈ ગયેલું પાણી ડબ્બા વગેરેથી ઉલેચી નાંખવું પડે છે. તેજ રીતે સંવર કર્યા બાદ આત્મામાં વળગેલા કર્મપુગલોને પણ ઉલેચી (નિર્જરી) નાંખવા માટે બાહ્ય-આત્યંતર તપશ્ચર્યાની જરૂર પડે છે. તેને નિર્જરા નામનું આઠમું તત્ત્વ કહે છે. જેમ સાગરમાં તરતી હોડી કુશળ નાવિકના પુરુષાર્થથી કોઈ રમણીય નગરને કિનારે આવી પહોંચી સાગરની વિટંબણાઓથી મુક્ત થાય છે. તેજ રીતે જીવરૂપી હોડી પોતાના જ ધર્મરૂપ કુશળ પુરુષાર્થથી સંસારને તરી જાય છે. અને સંસારની કાયમી વિટંબણા-દુઃખોથી મુક્ત થાય છે. તે મોક્ષ નામનું ૯ મું તત્ત્વ છે. ૮ કર્મથી મુક્ત થયેલો જીવ ૧૪ રાજલોકના મસ્તક-સ્થાનમાં આવેલ મોક્ષનગર સ્વરૂપ સિદ્ધશિલા ઉપર લોકના છેડે સાદિ-અનંત ભાગે શાશ્વત કાળ માટે આરૂઢ થાય છે. પ્રતિસમય અનંત જ્ઞાન-સુખનું સંવેદન કરે છે. (૨) સરોવરનું દાંત :- (૧) જીવ જાણે એક સરોવર છે. એમાં અનંત જ્ઞાન-અનંત સુખાદિ ગુણ રૂપ નિર્મળ પાણી છે. પરંતુ મિથ્યાત્વ-કષાય-હિંસાદિ રૂપ નીકો દ્વારા કર્મ કચરો જીવ સરોવરમાં ભરાયા કરે છે. (૨) આ કર્મ કચરો જડ અજીવ છે. તેવા બીજા પણ પગલાદિ દ્રવ્યો જડ છે. અચેતન છે, એને અજીવ તત્ત્વ કહેવાય. (૩) ત્યારે કર્મને લાવનાર નીકોરૂપ મિથ્યાત્વાદિને આશ્રવતત્વ કહેવાય. આશ્રવ = જેનાં દ્વારા આત્મસરોવરમાં કર્મ શ્રવે વહી આવે. હવે જીવ સરોવરમાં જે કર્મ એકઠાં થાય છે તે બે જાતનાં :- (૧) શુભ, (૨) અશુભ. શુભકર્મ જીવને અનુકૂળ ફળ દેખાડે છે. અશુભ કર્મ જીવને પ્રતિકૂળ ફળ દેખાડે છે. (૩) શુભ કર્મને પુણ્ય તત્ત્વ કહેવાય. (૪) અશુભ કર્મને પાપતત્ત્વ કહેવાય. (૫) આશ્રવની ની સામે જો સમ્યકત્વસામાયિક-ક્ષમા-અહિંસા વ્રતનિયમ વગેરે દરવાજા યા ઢાંકણા ગોઠવી દેવાય તો કર્મકચરો આવતો અટકે. તેથી આ સમ્યકત્વ સામાયિક આદિને સંવર તત્ત્વ કહેવાય. સંવર-કર્મને આવતું રોકનાર. (૬) હવે કર્મ જે આવે છે તે આત્મા સાથે બંધાય છે. એકમેક થઈને રહે છે. એ કર્મનો સ્વભાવ, સ્થિતિ કાળ, રસ, પ્રદેશ (જથ્થો) નક્કી થાય. તે બંધ તત્ત્વ કહેવાય. (૭) આ બંધાયેલા કર્મ કચરાને બાર પ્રકારના તારૂપી ચૂર્ણથી સાફ કરી શકાય છે, નિર્જરણ કરી શકાય છે. માટે એ તપને નિર્જરા તત્ત્વ કહેવાય. તેમાં દેશથી કર્મક્ષય થાય છે. (2) જ્યારે સર્વકર્મનો ક્ષય થાય છે ત્યારે જીવના અનંતજ્ઞાન દર્શન-સુખ વગેરે ગુણો પ્રગટ થાય છે. અને જીવ સંસારના સર્વ બંધનથી મુક્ત થાય છે. માટે જ એને મોક્ષ તત્ત્વ કહેવાય. આ નવ તત્ત્વો છે. એના જ્ઞાનથી શેય શું? હેય શું? ઉપાદેય શું? એની ખબર પડે છે. જોય જાણીને તેના ઉપરના રાગ-દ્વેષ ઘટાડીને જીવો પ્રત્યે દયાળુ અને અજીવ પ્રત્યે નિર્મમ બનવાથી આત્મ-પરિણતિનો લાભ થાય છે. હેયના ત્યાગથી આત્મા દુ:ખદાયી પાપકર્મોથી બચી જાય છે. ઉપાદેયના આદર અને અમલથી સમાધિલાભ ને સર્વકર્મક્ષય રૂપ મોક્ષ સુખની સંપદા પામે છે. જીવ-અજીવાદિ નવ તત્ત્વોને જાણવાથી અને તેની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. નવતત્ત્વોને દેખાડનારા સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવોના સર્વ વચન સત્ય હોય છે. રાગ-દ્વેષ કે અજ્ઞાનને લીધે જુઠું બોલાય, પણ તે તો આપ્તપુરુષમાં છે નહિ. તેથી તેમનું એકેય વચન મિથ્યા નથી હોતું, આ બુદ્ધિ જેનામાં છે તેનું સમ્યકત્વદઢ બને છે. સમ્યકૃત્વ સ્પર્યું હોય તે જીવ સંસારમાં દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તથી અધિક કાળ ન રહે. અનંતા ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy