________________
‘ામોથુણં સૂત્ર (ચાલુ ભાગ ૪) કંબજિ વંદou
जे अ अइया सिद्धा,
(અર્થ) - જે જિનો ભૂતકાળમાં સિદ્ધ થયા, जे अ भविस्संति णागए काले ।
અને ભવિષ્યકાળ (સિદ્ધ) થશે, (ને જે) વર્તમાનમાં વિદ્યમાન છે. સં૫કું ૩૪ વટ્ટનાT સને સિવિશ્લેખ લંવારિ II (તે) સર્વને ત્રિવિધ (મન-વચન-કાયાથી) વાંદું છું.
(ચિત્રસમજ) - અહીં ત્રિકાળના તીર્થંકર દેવોને વંદના છે. એ ધારવા (ચિત્રાનુસાર) વર્તમાન કાળના ૫ મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરાદિ ૨૦ ભગવાન સામે જોવાના, ભૂતકાળના અનંત ભગવાન ૨૦ ના જમણા હાથે ને પાછળ જોવાના, ભવિષ્યકાલીન અનંતને ૨૦ના ડાબે, બોલતાં આંખ મીંચી આપણી સામે ડાબી બાજુ અતીત અનંતા પ્રભુ દેખાય. વચ્ચે મધ્યમાં ખાલી જગા છોડી જમણી તરફ ‘જે અ ભવિસ્તૃતિ...' થી ભાવી અનંત પ્રભુને જોવા. મધ્યમાં ‘સંપઇ અ...’ થી વર્તમાન ૨૦ પ્રભુ જોવા. ચિત્રમાં ડાબે-જમણે બતાવ્યું નથી. પરંતુ ભૂત-ભવિષ્યના અનંતા ભગવાન વર્તમાનમાં હયાત નથી માટે એ હાલ દ્રવ્યજિન કહેવાય. પણ આપણે જાણે ભૂતકાળભવિષ્યકાળમાં જઇ વાંદીએ છીએ તેથી એમને પણ સમવસરણ પર પ્રાતિહાર્યયુક્ત જોવાના. ‘સવે તિવિહેણ વંદામિ’ બોલતાં પ્રભુ ચરણે નમેલા, આપણા અનંતા શરીર કલ્પી એ અનંત અને ૨૦ના ચરણે આપણું લલાટ અને અંજલિ તથા મન અડે છે, ને વચન ‘વંદામિ બોલે છે એમ ધારવાનું-જોવાનું.
'છમોહ' સૂત્ર , નમોડર્ડ-સિલ્ફ-SSાર્યો-પાધ્યાય-સર્વસાધુખ્યઃ I (અર્થ-) હું (અનંત) અરિહંત-સિદ્ધ-આચાર્ય
ઉપાધ્યાય-સર્વમુનિઓને નમસ્કાર કરું છું.
(ચિત્રસમજ) - આ સૂત્રથી અનંતા પંચ પરમેષ્ઠી ભગવાનને નમસ્કાર છે માટે ‘અહેતુ’ ‘સિદ્ધા'... અલગ અલગ પાડીને બોલતાં આંખ મીંચી સામે ડાબી તરફથી ક્રમસર અનંત અરિહંત, સિદ્ધ... વગેરે પરમેષ્ઠી જોવાના. (એમાં ‘સિદ્ધો’ અરિહંત ને આચાર્યની વચ્ચે, પણ ઉપર દેખાય.) એ દરેક પોતાના કોલમમાં પાછળ પાછળ અનંતા infinite દેખાય. તેમજ દરેકના ચરણે આપણાં શિર અંજલિ લાગેલા એટલે અનંતાના ચરણે અનંતા મસ્તક લાગેલા જોવા. સામે લાઇનમાંને બદલે અરિહંત સિદ્ધ વગેરે એકેકની પાછળ પાછળ જોઇ શકાય. ત્યારે અનંતાની કલ્પના દરેકની સીધી લાઇનમાં કરવાની. આ દરેક પરમેષ્ઠીને ‘નવકાર સૂત્રમાં” બતાવ્યા પ્રમાણે એમની એમની ખાસ મુદ્રા (Pose) માં જોવાના.
" ભગવાળહૈ..શિઝ
भगवानहं, आचार्यहं, उपाध्यायह, सर्वसाधुहं ।
(ભાવાર્થ) આમાં ‘હં’ અક્ષર અપભ્રંશ ભાષાનો ૪ થી વિભક્તિનો પ્રત્યય છે. એમાં ‘ભગવાનહં' બોલતાં દષ્ટિ સામે અનંત અરિહંત-સિદ્ધ લાવવાના. જ્યારે જ્યારે અરિહંત જોઇએ ત્યારે ત્યારે એમને સમવસરણ પર યા ૮ પ્રાતિહાર્ય સહિત જોવાના ને એમનાથી ઊંચે સિદ્ધશિલા પર સિદ્ધ જોવાના. ‘આચાર્યહં'...વગેરેથી આચાર્ય આદિને જોવાના. દરેકના ચરણે આપણું માથું નમેલું જોવું.