________________
(૧) લોાપ્ત લગ્નોમારે, धम्म-तित्थयरे जिणे ।
अरिहंते कित्तइस्सं, चउवीस पि केवली ||
(ર) રસમ-મનિગ = રે,
(રૂ) સુવિદિં = પુવંત,
संभव-मभिणंदणं च सुमई च ।
पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥
(૪) શું મરું = મત્નિ,
૨
3
૨
૧
सीयल-सिज्जंस- वासुपुज्जं च । विमल-मणतं च जिणं, धम्मं संतिं च वंदामि ||
पासं तह वद्धमाणं च ॥ (૧) પુર્વ મણ્ અમિથુના,
वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमि,
લોમસ (ચતુર્વિશતિસ્તવ) સૂત્ર
અર્થ -
૧) પંચાસ્તિકાય લોકના પ્રકાશક, ધર્મતીર્થ (શાસન)ના સ્થાપક, રાગદ્વેષના વિજેતા, અષ્ટપ્રાતિહાર્યની શોભાને યોગ્ય, ચોવીસ પણ સર્વજ્ઞોનું હું કીર્તન કરીશ.
૨) શ્રી ઋષભદેવ અને શ્રી અજિતનાથને વંદન કરું છું. શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામી, શ્રી સુપાર્શ્વનાથને તથા શ્રી ચંદ્રપ્રભસ્વામીને વંદન કરું છું.
૩) શ્રી સુવિધિનાથ યાને શ્રી પુષ્પદંત સ્વામીને, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમળનાથ, શ્રી અનંતનાથને, અને શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથને વંદન કરું છું.
(૬) વિત્તિય-પંવિય-મહિયા,
जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग बोहिलाभ, समाहिवरमुत्तमं दिंतु ॥ (૭) ચંવેસુ નિમ્મતયા,
आइच्चेसु अहियं पयास-यरा । सागर-वरगंभीरा,
सिद्धा सिद्धिं मम दिसंतु ।
विहयरय-मला पहीणजर-मरणा । चउवीस पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥
૧ 3
૩
૨
૨
૧
૨
૨
Jain Education International
૪) શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામી તથા શ્રી નમિનાથને વંદન કરું છું. શ્રી નેમનાથને તથા શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાનસ્વામીને વંદન કરું છું.
૫) એ પ્રમાણે મારાથી સ્તવાયેલ, કર્મરજ-રાગાદિમળથી રહિત બનેલા, અને જરાવસ્થા તથા મૃત્યુથી મુક્ત થયેલ, ચોવીસ પણ જિનેશ્વર શાસન સ્થાપકો, મારા પર અનુગ્રહ કરે.
૬) કીર્તન-વંદન-પૂજન કરાયેલ, અને લોક (મંત્રસિદ્ધાદિ અને સિદ્ધસમુહ)માં જે શ્રેષ્ઠ સિદ્ધ છે એ ભાવ આરોગ્ય-મોક્ષ માટે (યા આરોગ્ય અને) બોધિલાભ (વીતરાગતા સુધીના જૈનધર્મની પ્રાપ્તિ) અને ઉત્તમ ભાવસમાધિ આપો.
૭) ચંદ્રોથી અધિક નિર્મળ, સૂર્યો કરતાં અધિક પ્રકાશકર, સમુદ્રોથી ઉત્તમ ગાંભીર્યવાળા (યા સાગરોમાં શ્રેષ્ઠ સ્વયમ્ભરમણ સમુદ્ર જેવા ગંભીર) જીવનમુક્ત સિદ્ધો (અરિહંતો) મને મોક્ષ આપો.
ચિત્રસમજ - ચિત્રમાં વચ્ચે ગાથાની લીટીવાર કુલ ૨૪ ભગવાન મૂક્યા છે. ૧લી ગાથામાં ક્રમશઃ ‘લોગસ્સ ઉજ્જોઅગરે' આદિ પદથી જ્ઞાનાતિશય, વચનાતિશય, અપાયાપગમ (રાગાદિ-નાશ) અતિશય, ને પૂજાતિશય સૂચવ્યા, તે ચિત્રમાં વચ્ચે મથાળે દર્શાવ્યા પ્રમાણેના પ્રતિક મન સામે લાવી યાદ કરવાના. બધા ભગવાન એ પ્રમાણે સૂર્ય જેવા પંચાસ્તિકાય-પ્રકાશક, સમવસરણ પર તીર્થસ્થાપક, મિત્ર-શત્રુ પર રાગાદિવિજેતા, અને અષ્ટપ્રાતિહાર્યની શોભાને અર્હ=યોગ્ય જોવાના. ‘ચઉવીસ' પિ=૨૪ પણ એમાં ‘પણ’ શબ્દથી સર્વ દેશ-કાળના બીજા અનંત તીર્થંકર સૂચવ્યા, તે ૨૪ની આસપાસ ને પાછળ જોવાના.
• ગાથા-૨જી-૩જી-૪થી બોલતાં એની દરેક લીટીવાર ચિત્ર પ્રમાણે એટલાજ ભગવાન દેખવાના.
દા.ત. ‘ઉસભ-મજિઅં’ તો ૧લી લીટીમાં ‘ૠષભદેવ-અજિતનાથ' એ બે ભગવાન સમલેવલ પર દેખાય, એમની નીચે ૩જા-૪થા-૫મા ભગવાન, એમ છેલ્લે ૨૩મા-૨૪મા દેખાય. આ દરેક ભગવાન વળી પ્રાતિહાર્ય સહિત, અને એ દરેકના ચરણકમળે આપણું માથું નમેલું દેખાય.
૧૫
Sorial Use Or
www.thakorally.