SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તન સાથે સંવાદ જાળવવા માટે તેઓ કેવા કટિબદ્ધ હોય છે. શ્રુતજ્ઞાનના કેવા પારગામી હોય છે. જૈન શાસનની કેઈપણ શુભ મર્યાદાનું કયારેય પણ સહેજે ઉલ્લંઘન ન થાય એ માટે કેટલા જાગરુક હોય છે? એ બધી મર્યાદા એથી બંધાઈને પણ પિતે કેવી સુંદર જૈનશાસનની પ્રભાવના કરે છે? શાસન-સંઘ અને ધર્મની રક્ષા અને ઉન્નતિ માટે કેટલા ચિંતનરત હોય છે? પંચાચારનું પાલન સ્વયં કરવામાં અને આશ્રિત પાસે કરાવવામાં કેવા સાવધાન હોય છે? શાસન-સંઘ અને ધર્મમાં બાહ્ય આભ્યન્તર અનિષ્ટના પગપેસારાને ટાળવા અને ખાળવા માટે કેવા સખ્ત પગલા ભરતા હોય છે? આવી બધી અનેક જિજ્ઞાસાઓનાં સુંદર સમાધાને હૃદયંગમ કરી શકીશું. છત્રીશ ગુણ ધારક આચાર્ય ભગવંતમાં અનેકાનેક રીતે છીશ ગુણોની સંભાવના રહેલી છે એ આ જ ગ્રન્થમાં આપેલા છત્રીશ છત્રીશીના કોઠાઓ ઉપરથી આપણે સહજ જાણી શકશું. શ્રી ઉપાધ્યાયપદની વાચના પ્રસ્તુત ગ્રન્થમાં આચાર્યપદ પછી ઉપાધ્યાયપદની વાચનાનું પણ સહમુદ્રણ થયું છે, જે એક રીતે ઉચિત જ છે, કેમ કે આચાર્ય અને ઉપાધ્યાય એ જૈનશાસનરૂપી રથના બે ચક્ર જેવા છે. એકલા આચાર્ય કે એકલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy