SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ એ રાગમાં ગીતની ૩ કડી ૪ કહી સાંભળે એટલે મન સુસ્ત થવા માડે છે. ત્યાં જે ગયે એના એજ રાગમાં બીજી કડીઓ ગાશે તે શ્રોતા સુરસ્તીથી સાભળશે પરંતુ રાગ ફરશે તે શ્રોતા નવા આનંદમાં આવી જશે. જાપમાં વિવિધતા નથી તેથી મન સુસ્ત બને છે, તેથી તેમાં સ્થિરતા નથી રહેતી. પણ શાસ્ત્ર-સ્વાધ્યાયમાં જુદી જુદી ચીજ હોય છે તો મન એક પછી બીજા શુભમાં, બીજા પછી ત્રીજા શુભમાં, ત્રીજા પછી ચોથામાં. એમ મન સ્થિરતાથી શુભમાં રમ્યા કરે છે, એક સરખા જાપ મુકેલ. દયાનમાં આ ન બનેસ્વાધ્યાયમાં નવ નવાં શાસ્ત્ર-વચન અને શાસ્ત્રના પદાર્થ આવે તો મને બરાબર તેમાં પરોવાયેલું રહે છે. સ્વાધ્યાયને એક વિશિષ્ટ હેતુ એ છે કે મનને એ શુભમાં લગાડી આત્મામાં સંવેગભાવ વધારે છે. સંવેગભાવ એટલે દેવ, ગુરૂ, ધર્મ, ધર્મના અંગ ઉપર શ્રદ્ધા-પ્રીતિ-ભકિતભાવ. સ્વાધ્યાય છોડી જાય અને ધ્યાનમાં લાગી જવામાં આ સંવેગભાવ વધવાને પ્રાય: અવકાશ નથી. દા. ત. મૂતિ પર ધ્યાન લગાવ્યું તો શુભમાં તો મન કયું અને એમાં અમુક કેટિને સંવેગભાવ જાગ્યે, પરંતુ સવેગભાવ વધતો કેવી રીતે ચાલે? સંવેગભાવ વધારવાની તાકાત નવ નવાં શાસ્ત્ર–વચનમાં ને વચનના અર્થોમાં છે, નવી નવી ગાથા ને નવા નવા અર્થે વિચારાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy