SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ નવપદ પ્રકાશ - જ્યારે ગુરુ તુપ્તિનું સુખ આપે છે, તપ્ત એટલે મળ્યું તે ઘણું વધારે લાગે, કઈ વાતે ઓછું ન લાગે, આ મહાસુખ છે. પરંતુ જે ઘણું માર્યું હોય ને છતાંય મનમાં એાછું આવે, એાછું લાગે, તો તે અતૃપ્તિ છે, ને તેથી માણસ કદી સુખી ન થઈ શકે. તુતિનું મહાસુખ એવું કે તેથી ગમે તેવા સંજોગોમાં મનને એવું ન આવે. કારણ કે તેનામાં એ સમજ છે, કે “ભલે એ મળ્યું, પણ આથી વધુ મળ્યું હોય તેય અંતે બધી જ વસ્તુ કે દિવસ છૂટી તે પડવાની જ છે, માટે જે મળે તે બસ છે.” આથી તેની વધુની ઝંખના મરી ગઈ ને તેથી તે તુત રહે છે. એ પણ એ સમજે છે કે “જડ વસ્તુમાં એવું છે કે એછું હોય તેને પૂર્ણ કરવા જાય તો તૃષ્ણને ખાડે વધતો જ જાય છે, પછી એ ખાડામાં ગમે તેટલું નાખે પૂરાય જ નહિ. એના બદલે પૂરવાનું બંધ જ કરે, “કશું મારે પૂરવું નથી વધારો કર નથીઆ નિર્ધાર કરે તે ઝંખનાનો ખાડો પૂરાઈ જાય છે. . આ બધું સમજાવનાર ગુરુ છે. માતાપિતાની તે ગૂંજાયશ નથી, કારણ કે સ્વયં અપ્તિમાં પડેલા છે. અહીં “સૂરીશ પાયા' કહ્યું એમાં “ગુરુના ચરણ એટલે શું? ગુરુના ચરણ માટે જવાબ બે છે – (૧) ગુરુનાં ચરણ એટલે ગુરુની આજ્ઞા-ગુર્વાશાગુરુવચન, એ અત્યંત જરૂરી છે. તેથી ગુરુને માથે ધરે, પણ ગુરુવચન ધ્યાન પર ન લે, ન વિચારે, તે તે લાભ ન ખાટે. કહ્યું : “જિન તેરે ચરણ કી શરણ રહે એટલે? " પ્રભુનું શરણુ નહીં પણ પ્રભુના ચરણનું શરણુ લેવાનું કહ્યું, આ સૂચક છે. વળી “જ્યવીરાય સૂત્રમાં કહ્યું - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy